અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના 175 પોઝિટિવ કેસ થઇ ગયા છે, કુલ 15 લોકોનાં મોત થયા છે, આજે સુરતમાં 2 અને પાટણમાં 1 વ્યક્તિના જીવ ગયા છે, માત્ર અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા 83 થઇ ગઇ છે, જે આંકડો ચિંતાજનક છે, સૌથી વધુ કેસ શહેરના પૂર્વ વિસ્તારમાં છે, જેથી પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં અવર જવર ઓછી કરવા શહેરનો નહેરૂ બ્રિજ ખાનગી વાહનો માટે આજે રાતથી બંધ કરી દેવામા આવ્યો છે, કોટ વિસ્તારમાં કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ થઇ ગયું છે.
બીજી તરફ કાલુપુર ફ્રૂટ માર્કેટ અને શાકમાર્કેટ પણ અનિશ્વિત મુદત માટે બંધ કરી દેવામાં આવ્યાં છે, શહેરના જમાલપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. અહી લોકલ ટ્રાન્સમિશનને કારણે કોરોનાએ હાહાકાર મચાવી દેતા કોર્પોરેશને શાક અને ફ્રૂટ માર્કેટ અને નહેરૂ બ્રિજ બંધ કરી દીધો છે. આ વિસ્તારોમાં પોલીસે લોકડાઉનનો કડક અમલ શરૂ કર્યો છે.
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46