નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ આજે મોદી સરકારના બે દિગ્ગજ મંત્રીઓ રસી લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અને રવિશંકર પ્રસાદે પટનામાં કોરોનાની રસી લઇને લોકોમાં વિશ્વાસ વધારવા ભાજપે નિર્દેશ આપ્યો હોવાથી મોદી સરકારના મંત્રીઓ રસી લઈ રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું, પીએમ મોદીએ ખુદ રસી લગાવીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકોના મનમાં કોઈ શંકા ન રહે તે માટે પોતે આગળ આવીને રસી લીધી છે. દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો સોમવારથી શરૂ થઈ ગયો છે. જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બીમારી હોય તેવી વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાનું શરૂ થયું છે.
ગઈકાલે મોદીએ રસી લીધા બાદ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી આપવામાં જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે ઉલ્લેખનીય છે. જે લોકો વેક્સીન લેવા યોગ્ય છે તે તમામને વેક્સીન લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે, દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા એક કરોડ દસ લાખને પાર થઈ ગઈ છે, જ્યારે એક કરોડ સાત લાખથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 43 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી ચુકી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
પોલીસ સબ ઇન્સ્પેકટર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા, આટલા રૂપિયાની કરી હતી માગણી | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણી વીડિયોથી પ્રગટ થયા, પ્રતાપ દૂધાત અને કોંગ્રેસને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28