Fri,26 April 2024,9:47 pm
Print
header

ડૉ. હર્ષવર્ધન અને રવિશંકર પ્રસાદે લીધી કોરોનાની રસી, લોકોમાં વિશ્વાસ વધારવા સરકારે મંત્રીઓને આપ્યો છે નિર્દેશ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ આજે મોદી સરકારના બે દિગ્ગજ મંત્રીઓ રસી લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અને રવિશંકર પ્રસાદે પટનામાં કોરોનાની રસી લઇને લોકોમાં વિશ્વાસ વધારવા ભાજપે નિર્દેશ આપ્યો હોવાથી મોદી સરકારના મંત્રીઓ રસી લઈ રહ્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું, પીએમ મોદીએ ખુદ રસી લગાવીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકોના મનમાં કોઈ શંકા ન રહે તે માટે પોતે આગળ આવીને રસી લીધી છે. દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો સોમવારથી શરૂ થઈ ગયો છે. જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બીમારી હોય તેવી વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાનું શરૂ થયું છે.

ગઈકાલે મોદીએ રસી લીધા બાદ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી આપવામાં જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે ઉલ્લેખનીય છે. જે લોકો વેક્સીન લેવા યોગ્ય છે તે તમામને વેક્સીન લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે, દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા એક કરોડ દસ લાખને પાર થઈ ગઈ છે, જ્યારે એક કરોડ સાત લાખથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 43 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી ચુકી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch