નવી દિલ્હીઃ લિવ ઇનનાં રહેતી એક યુવતીની તેના જ પાર્ટનરે ક્રૂર રીતે હત્યા કરીને લાશના ટુકડા કરીને જુદા જુદા વિસ્તારોમાં ફેંકી દીધા હતા. યુવતીની હત્યાના 5 મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ યુવતીની હત્યા કર્યાં બાદ તેના શરીરના ટુકડા કરી દીધા હતા, આ ટુકડા ફ્રીઝમાં રાખ્યાં હતા અને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં તેને ફેંકી દીધા હતા.આરોપી આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરીને પોતાના ઘરમાં રાખ્યાં હતા. આ માટે આફતાબે એક નવું મોટું ફ્રિજ ખરીદ્યું હતુ. 18 દિવસ સુધી બોડી પીસ ઘરમાં રાખ્યા હતાા. રાત્રે 2 વાગે તે પ્લાસ્ટિકની થેલીમાં એક પછી એક શરીરના ટુકડા લઈને ફેંકવા જતો હતો.અત્યાર સુધીમાં લાશના 15 ટુકડા મળી આવ્યાં છે.
જે યુવતીની હત્યા કરવામાં આવી હતી, તે મુંબઈની એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. હત્યાનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા લગ્નના બહાને મુંબઈના મલાડ વિસ્તારમાંથી 26 વર્ષીય શ્રદ્ધા વોકરને દિલ્હી લઈ આવ્યો હતો. વિકાસ મદનભાઇ વોકરે 8 નવેમ્બરના રોજ દિલ્હીના મેહરૌલી પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રીના અપહરણની એફઆઈઆર નોંધાવી હતી. શ્રદ્ધાના પિતાએ જણાવ્યું કે તે મહારાષ્ટ્રના પાલઘરમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમની 26 વર્ષીય પુત્રી શ્રદ્ધા વોકર મુંબઈના મલાડમાં એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. શ્રદ્ધાની મુલાકાત આફતાબ અમીન સાથે થઇ હતી.બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. પરિવારને આ સંબંધની ખબર પડી તો તેમણે વિરોધ કર્યો હતો. પરિવારજનોએ વિરોધ કર્યો ત્યારે શ્રદ્ધા અને આફતાબ અચાનક મુંબઇ છોડીને જતા રહ્યાં હતા.
આરોપીએ કોઇ કારણસર યુવતીની ક્રૂરતાથી હત્યા કરતો હતો, ઘરમાં લાશની વાસ ન આવે તે માટે દરરોજ અનેક વખત અગરબત્તી કરતો હતો, આ મામલે હજુ અનેક ખુલાસા થવાના બાકી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20