Sat,27 July 2024,3:04 pm
Print
header

G20: કોણાર્ક ચક્ર અને નાલંદા બાદ PM મોદીએ સાબરમતી આશ્રમ વિશે વિશ્વનો પરિચય કરાવ્યો, ખાદી સાથે કર્યું સ્વાગત

નવી દિલ્હીઃ ભારતમાં G2-0 સમિટનો આજે બીજો દિવસ છે. આજે શિખર બેઠક પહેલા તમામ G-20 દેશોના નેતાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યાં હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન PM મોદી જ્યાં ઉભા રહીને વિદેશી મહેમાનોનું અભિવાદન કરી રહ્યાં હતા, તેમની પાછળ સાબરમતી આશ્રમની તસવીર ચોંટાડવામાં આવી હતી. પીએમ મોદીએ પહેલા તમામ મહેમાનોને ખાદીના વસ્ત્રો પહેરાવીને આવકાર્યાં અને પછી સાબરમતી આશ્રમ વિશે માહિતી આપી હતી અને મહાત્મા ગાંધીના મૂલ્યો વિશે વાત કરી હતી.

આ પહેલા શનિવારે જ્યારે PM મોદી G- 20 સમિટમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરી રહ્યાં હતા, ત્યારે તેમની પાછળ ઓડિશાના પ્રખ્યાત કોણાર્ક ચક્રની તસવીર મૂકવામાં આવી હતી.પીએમ મોદીએ મહેમાનોને કોણાર્ક ચક્ર વિશે પણ માહિતી આપી હતી.

 

સાબરમતી આશ્રમ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો વારસો અને સ્વતંત્રતા ચળવળનો વારસો છે. આ આશ્રમ વર્ષ 1917માં સાબરમતી નદીના કિનારે બનાવવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધી આ આશ્રમમાં 1917 થી 1930 સુધી રહ્યા હતા. તેમના રોકાણ દરમિયાન સાબરમતી આશ્રમે દાંડી કૂચ સહિત અનેક ઐતિહાસિક ઘટનાઓ જોઈ છે. આ આશ્રમ મહાત્મા ગાંધીની શાંતિ અને સાદગીનો પુરાવો માનવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch