Sat,27 April 2024,4:02 am
Print
header

દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગ થઇ ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

બે બાળકોના દટાઇ જતા મોત થઇ ગયા

નવી દિલ્હીઃ રાજધાનીમાં આવેલા સબ્જી મંડી વિસ્તારમાં ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ છે. તેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટનાની જાણ થયા બાદ દિલ્હી પોલીસ અને ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ છે.સર્ચ ઓપરેશનમાં બે બાળકોને કાટમાળમાંથી કાઢીને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.જો કે બાદમાં બંને બાળકોના મોત થઇ ગયા છે.

પોલીસના જણાવ્યાં અનુસાર ઘાયલોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે, બિલ્ડિંગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જે સમયે દુર્ઘટના સર્જાઈ ત્યારે અંદર અનેક મજૂરો હતા.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના દુખદ છે.પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. જિલ્લા પ્રશાસનના માધ્યમથી હું સ્થિતિ પર નજર રાખી રહ્યું છું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch