Tue,30 April 2024,12:36 am
Print
header

અમિત શાહને હત્યારા કહ્યાં હતા, માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટે આપ્યાં જામીન

લખનઉઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટે જામીન આપ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધમાં વિવાદીત ટિપ્પણી કરવાના કેસમાં તેમના પર માનહાનિનો કેસ કરાયો હતો. રાહુલને 25 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન અપાયા છે.

ગૃહમંત્રી અમિત શાહ પર કરી હતી ટિપ્પણી

અમિત શાહને હત્યારા ગણાવ્યાં હતા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2018 ના કેસમાં કોર્ટમાં હાજર થવું પડ્યું હતુ. બેંગ્લુરુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિરુદ્ધમાં રાહુલે ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ ભાજપના જિલ્લા ઉપાધ્યાક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરાવ્યો હતો.

રાહુલે અમિત શાહને હત્યારા કહ્યાં હતા જેથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ થયા હતા અને એક નેતાએ આ ફરિયાદ કરી હતી. નોંધનિય છે કે મોદી અટક પર વિવાદીત ટિપ્પણી કરવાના કેસમાં સુરતમાં પણ રાહુલ ગાંધી સામે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો, આમ રાહુલ સામે એકથી વધારે માનહાનિના કેસ થયા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch