હોસ્પિટલ પાસે ફાયર NOC ન હતી, ફાયર સેફ્ટીના સાધનો પણ જૂના પડ્યાં હતા
અમદાવાદઃ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં રાતના 3.30 વાગ્યાની આસપાસ ભયાનક આગ લાગી હતી, જેમાં કોવિડના 8 દર્દીઓનાં મોત થઇ ગયા છે, 5 પુરૂષો અને 3 મહિલાઓનાં મૃત્યું નિપજ્યાં છે. આગ બાદ અહીં દોડધામ મચી ગઇ હતી, ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ 8 લોકોને બચાવી શકાયા નથી.
આગ લાગવાથી હોસ્પિટલ ખાલી કરાવી દેવામાં આવી છે. ICU વોર્ડ આગમાં ખાખ થઇ જતા 25થી વધુ કોવિડ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયાં છે અને પોલીસ દ્વારા હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરાઇ છે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
આગની ઘટના બાદ સીએમ વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું છે, મૃતકોનાં પરિવારજનોને 4-4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરીને તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ હોસ્પિટલ પહોંચ્યાં છે અને ઘટનાની તપાસની વાત કરી છે. બીજી તરફ આ બનાવ બાદ મૃતકોના પરિવારજનોમાં આક્રોશ ફેલાઇ ગયો છે. હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, અહી ફાયર સેફ્ટીના સાધનો જૂના પડ્યાં હતા,અને એનઓસી પણ હતી નહીં, કોર્પોરેશન પણ હોસ્પિટલ સામે કાર્યવાહી કરશે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46