અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ છે, તેવામાં સામાન્ય લોકોએ ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે, ત્યારે અમુક સેવાભાવી સંસ્થાઓ દ્રારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મદદ કરવામાં આવી રહી છે, સાવન કૃપાલ રૂહાની મિશન ગુજરાતના સત્સંગીઓ દ્વારા માનવસેવાના ભાગરૂપે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા ગરીબ લોકોને ખાવાપીવાની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યુ હતું, છેલ્લા કેટલાક દિવસોથી લોકડાઉનના લીધે રોજનું રોજ કમાઇને ખાતા પરિવારો સંકટની ઘડીમાં મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે સંત રાજીન્દરસિંહજી મહારાજના માનવ તુ માનવને ઓળખના અભિગમને સેવાદારોએ ચરિતાર્થ કર્યો હતો.
મિશનના સેવાદારોએ ઝોન ઇન્ચાર્જ લલીત કનોજીયાની આગેવાનીમાં સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે ઇસનપુર વિસ્તારના લોકોને કરિયાણાની 1000 કીટ, અઢી હજાર ફૂડ પેકેટની કીટનું વિતરણ કરાયું હતું. જેમાં માસ્ક સહિત સેનેટાઇઝર આપીને કોરોના વાયરસ પ્રત્યે જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે અમારી પણ તમને અપીલ છે કે જો જરૂર હોય તો જ તમે બહાર નીકળજો, અને દેશને કોરોના સામેની લડાઇમાં મદદ કરજો.
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46