નવી દિલ્હીઃ દારૂ કૌભાંડ પર રાજનીતિ તેજ બની છે. હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.કહ્યું કે આજે મનિષ સિસોદિયા કેન્દ્ર સરકારના ષડયંત્રને કારણે જ જેલમાં છે. તેમને તિહાર જેલમાં જેલ નંબર- 1માં રાખવામાં આવ્યાં છે. જ્યાં ખુંખાર કેદીઓને રખાય છે. ભાજપ અમને દિલ્હીમાં હરાવી શકી નહીં. શું વડાપ્રધાન આ પરાજયનો બદલો આ રીતે લેશે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર મામલે કેમ ચૂપ છે ? અત્યારે આ ષડયંત્ર ટોચના નેતાઓની હત્યા સુધી પહોંચી ગયું છે. અમે તેની નિંદા કરીએ છીએ.
તેમણે કહ્યું કે જ્યારે જેલ નંબર 1 દેશના સૌથી ખતરનાક અને હિંસક કેદીઓ છે. ટીવી અને અખબારોમાં તેમની હિંસાના સમાચાર અવારનવાર જોવા મળે છે. આ ગુનેગારો માનસિક રીતે બિમાર છે, તેઓ નાના ઇશારાથી કોઈની હત્યા કરી શકે છે. અમે ભાજપના રાજકીય પ્રતિસ્પર્ધી છીએ. પરંતુ શું આ પ્રકારની દુશ્મનાવટ રાજકારણમાં થાય છે ? કોર્ટના આદેશથી સિસોદિયાને સ્પેશિયલ સેલમાં રાખવાના હતા, પરંતુ તેમને આવા ખતરનાક ગુનેગારો સાથે કેમ રાખવામાં આવી રહ્યાં છે ? આજે અમારી પાસે સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન નથી, પરંતુ એક ચિંતા એ પણ છે કે શું કેન્દ્ર સરકાર પણ રાજકીય હત્યાઓ કરી શકે છે.
સાંસદ સંજયસિંહે આરોપ લગાવ્યો હતો કે દારૂ કૌભાંડમાં ન તો માથું છે કે ન તો પગ. આમ છતાં મનિષ સિસોદિયાના ઘર, , બેંકના ખાતાઓની તપાસ કરાઇ, કંઇ મળ્યું નથી, બે ચાર્જશીટમાં સિસોદિયાના નામનો ઉલ્લેખ નથી. તેમ છંતા તેમને જેલમાં નાખી દેવાયા છે.
સંજયસિંહે વધુમાં જણાવ્યું કે, 'કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી 8 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. પરંતુ ઇડી અને સીબીઆઇ ત્યાં પહોંચી શકી નથી, "હું નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે શું તમે અને તમારી પાર્ટી નફરતથી ભરેલા છો . વડાપ્રધાને એવો નિયમ બનાવવો જોઈએ કે ઇડી અને સીબીઆઇએ મૃતકોની પણ પૂછપરછ કરે, ઇડી અને સીબીઆઇને કબર ખોદવામાં મૂકો અને લાકડીઓ વડે મૃતકોની પૂછપરછ કરો. લાલુ પ્રસાદ યાદવ સારવાર બાદ 7 મહિને પરત ફર્યાં, તેઓ કિડનીની બીમારીથી પીડિત છે. અને આવા સમયે જ લાલુ યાદવના ઘરે પૂછપરછ કરવા માટે સીબીઆઇ પહોંચી ગઇ.
શું છે મામલો ?
મનિષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ સીબીઆઈએ ધરપકડ કરી હતી. આ કાર્યવાહી દિલ્હી સરકારની વિવાદિત દારૂ નીતિમાં કથિત કૌભાંડના કેસમાં કરવામાં આવી હતી. લગભગ છ મહિનાની તપાસ બાદ સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021 ના રોજ નવી આબકારી નીતિ લાગુ કરી હતી. દિલ્હી સરકારે નવી આબકારી નીતિ લાવીને માફિયા શાસન સમાપ્ત કરવાની દલીલ કરી હતી. આનાથી સરકારની આવકમાં પણ વધારો થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02