(મૃતક મહિલા વકીલની ફાઈલ તસવીર)
નોઈડાઃ સુપ્રીમ કોર્ટની 61 વર્ષીય મહિલા વકીલ રેણુ સિન્હાનો મૃતદેહ રવિવારે સાંજે નોઈડામાં તેમના ઘરના બાથરૂમમાંથી શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. તેમના માથા પર ઈજાના નિશાન છે. તેમના ભાઈની ફરિયાદ પરથી પોલીસે દરવાજો તોડી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
રેણુની હત્યા તેમના પતિએ કરી હોવાની આશંકા ભાઈએ વ્યક્ત કરી છે. ઘટના બાદથી પતિ નીતિનનાથ સિંહા ફરાર હતો તેની ધરપકડ કરી લેવાઇ છેે. બિહારના પટનામાં રહેતા રેણુ થોડા સમયથી તેમના પતિ સાથે સેક્ટર 30માં નોઇડા રહેતા હતા. તેઓઓ કેન્સરથી પીડિત હતા. તેમનો પુત્ર અમેરિકામાં રહે છે. રેણુ બે દિવસથી તેમના ભાઈનો ફોન ઉપાડતા ન હતા. ત્યારબાદ ભાઈએ કોતવાલી પોલીસને જાણ કરી.પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ડીવીઆર ન હતું. આશંકા છે કે ઘટના બાદ નીતિન ડીવીઆર કાઢીને લઈ ગયો હતો. પોલીસ હવે હવેલીની આસપાસ લગાવેલા કેમેરાના ફૂટેજ જોઈ રહી છે અને નીતિનની પૂછપરછ કરાઇ રહી છે, કોઇ સંપતિના વિવાદમાં આ વકીલની હત્યાની આશંકા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20