(file photo)
નવી દિલ્હીઃ શ્રદ્ધા હત્યા કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસો થઈ રહ્યાં છે. આરોપી આફતાબ પૂનાવાલાએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તેણે શ્રદ્ધાના માથા સહિત તેના શરીરના ભાગોને પાંચ મહિનાથી વધુ સમય સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા હતા. સીસીટીવી કેમેરાના ફૂટેજથી પણ આ વાતની પુષ્ટિ થઈ છે. તેની હત્યા કર્યા બાદ જ મૃતદેહના ટુકડા તેણે ફેંકી દીધા હતા. એક દિવસ શ્રદ્ધાની ડેડ બોડી રૂમમાં પડી હતી. તેણે મૃતદેહ પાસે બેસીને ભોજન લીધું હતું. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે શ્રદ્ધાના શરીરના 16 ટુકડા કર્યાં હતા. આ દરમિયાન તે પહેલાની જેમ જ હસતો રહ્યો હતો.
પોલીસને આફતાબના ગુરુગ્રામ કનેક્શનની જાણ થઈ તો દિલ્હી પોલીસે ગુરુગ્રામ પોલીસનો સંપર્ક કર્યો. સ્થાનિક પોલીસ એક્શનમાં આવી જતાં અહીંની ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઘણા કોલ સેન્ટર ઓપરેટરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં તેમની સાથે કામ કરનાર આફતાબ નામના યુવકની વિગતો માંગવામાં આવી છે. આફતાબે આ પહેલા આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો હતો કે કેમ, તે જાણવા તેના સંપર્કમાં રહેલી યુવતીઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસ શ્રદ્ધાનું માથું શોધવા લાગી છે. પોલીસ કમિશનર સંજય અરોરાએ પોલીસને આદેશ આપ્યો છે કે જ્યાં પણ કોઇ મૃતદેહ કે તેના ટુકડા મળે છો તરત જ તેની જાણકારી તેમને કરવામાં આવે. દિલ્હી પોલીસની ત્રણ ટીમો ત્રણ રાજ્યો મહારાષ્ટ્રના મુંબઈ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગઈ છે. મહારાષ્ટ્રના વતની શ્રદ્ધા અને આફતાબે હત્યાના થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20