Sat,04 May 2024,1:40 am
Print
header

રાજ્યસભા માટે એસ.જયશંકરે નોંધાવી ઉમેદવારી, ગુજરાતની જનતાનો માન્યો આભાર- Gujarat Post

ગાંધીનગરઃ રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ. જયશંકરે વિજયમૂહુર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યાં હતા. ભાજપમાંથી હજુ બે નામો અંગે સસ્પેન્સ યથાવત છે.

રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યાં બાદ એસ.જયશંકરે કહ્યું, 4 વર્ષમાં મને ઘણું શીખવા મળ્યું છે. ગુજરાતની જનતા અને ધારાસભ્યોનો હું આભારી છું. 4 વર્ષ બાદ ફરી એક વખત મને સાંસદ બનવાની તક આપી છે. ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદીનો પણ હું આભારી છું.

રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે

રાજ્યસભામાં ગુજરાતની ખાલી થનારી ત્રણેય બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારી કરવાનું માંડી વાળ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર 17નું હોવાથી પોતાના ઉમેદવારને ચૂંટાઇ આવવા જરૂરી 46 મત ન મળે તે સંજોગોને જોતાં કોંગ્રેસે આ બાબત જાહેર કરી છે. આથી હવે આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ જશે. જો કે ભાજપ કયા બે ઉમેદવારોના નામ જાહેર કરે છે તેના પર સૌની નજર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch