નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીના પ્રવાસે છે. તેઓ 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનસ્થ રહેશે. આજે તેમના ધ્યાનનો બીજો દિવસ છે. પીએમ મોદીના ધ્યાનનો એક વીડિયો સામે આવ્યો છે, વીડિયોમાં પીએમ મોદી કેસરી કુર્તા અને ગમછામાં જોવા મળી રહ્યાં છે. તે સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સામે બેસીને ધ્યાન કરી રહ્યાં છે. તેમના હાથમાં માળા છે અને ઓમનો નાદ ગુંજી રહ્યો છે.
આ ધ્યાન મંડપની ખાસ વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશનો પ્રવાસ કર્યાં બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું. અહીં જ તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.
પીએમ મોદી ગુરુવારે કન્યાકુમારી પહોંચ્યાં હતા. વડાપ્રધાન દક્ષિણ ભારતના પરંપરાગત પોશાકમાં ધોતીમાં જોવા મળ્યાં હતા. તેમણે ઓફ-વ્હાઈટ રંગની શાલ પહેરેલી હતી. કન્યાકુમારી પહોંચ્યાં બાદ ભગવતી અમ્માન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તમને જણાવી દઈએ કે, સામાન્ય ચૂંટણી પ્રચારના અંત પછી, પીએમ મોદી દરેક વખતે આધ્યાત્મિક યાત્રા પર જાય છે અને 2019ના ચૂંટણી પ્રચાર પછી તેઓ કેદારનાથ ગયા હતા અને વર્ષ 2014માં તેઓ શિવાજી મહારાજ સાથે સંબંધિત પ્રતાપગઢ ગયા હતા.
પીએમ મોદીએ ગુરુવારે પંજાબના હોશિયારપુરમાં રેલી સાથે તેમના ચૂંટણી પ્રચારનું સમાપન કર્યું. હવે સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. મોદીએ ભાજપને ફરી એકવાર સત્તામાં લાવવા માટે જોરશોરથી પ્રચાર કર્યો.વડાપ્રધાન મોદીએ 16 માર્ચે કન્યાકુમારીથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. છેલ્લા 75 દિવસમાં વડાપ્રધાને 183 ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટણી રેલી અને રોડ શોનો સમાવેશ થાય છે.
આ સિવાય પીએમ મોદીએ વિવિધ મીડિયા સંસ્થાઓને લગભગ 80 ઇન્ટરવ્યૂં પણ આપ્યાં, જેમાં તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની ચર્ચા કરી. ઉપરાંત, ધર્મના આધારે આરક્ષણ, સીએએ, અયોધ્યામાં રામ મંદિર અને કલમ 370 જેવા વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોને ઘેરાવો પણ કર્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Faith meets worship...
— BJP (@BJP4India) May 31, 2024
Glimpses from Prime Minister Shri @narendramodi's 45-hour long meditation session in Kanniyakumari. pic.twitter.com/Vvqxy02x4N
When spirituality is your strength… pic.twitter.com/Pn6MKbuDi7
— BJP (@BJP4India) May 31, 2024
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
CBI અને ED ના એક સાથે દરોડા, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને IPS અધિકારીના ઘરે કાર્યવાહી | 2025-03-26 11:52:48
અલ્પેશ ઢોલરિયાના નિવેદન પર વરુણ પટેલનો કટાક્ષ, કહ્યું- બાપ સમાન કોને માનવા તે દરેકનો વ્યક્તિગત નિર્ણય | 2025-03-25 14:16:51
પેટા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભા બેઠક માટે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કર્યુ- Gujarat Post | 2025-03-23 20:04:11
પાયલ ગોટી વિવાદ મામલે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, કહ્યું ગુજરાતમાં દિકરીઓ અસલામત | 2025-03-21 15:32:54
રાહુલ ગાંધી ઘોડા અને ગધેડાનો ફરક નથી જાણતાઃ મોઢવાડિયાના નિવદેનથી કૉંગ્રેસના નેતાઓ ચોંકી ગયા- Gujarat Post | 2025-03-19 12:11:37
કુણાલ કામરાનને એકનાથ શિંદે પર ટિપ્પણી કરવી ભારે પડી, નોંધાઈ FIR- Gujarat Post | 2025-03-24 09:46:43
સનરાઇઝર્સના ઈશાન કિશને ફટકારી IPL 2025 ની પ્રથમ સદી, રાજસ્થાનનો 44 રનથી પરાજય- Gujarat Post | 2025-03-23 19:54:28
આ વીડિયોની દેશભરમાં ચર્ચા, જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલા અડધા બળી ગયેલા રૂપિયાનો ઢગલો આવ્યો સામે- Gujarat Post | 2025-03-23 17:34:04
સૌરભ હત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, સાહિલ અને મુસ્કાન પાંચ મહિનાથી કર્ણ પિશાચની તંત્રની સાધના કરતા હતા | 2025-03-22 10:05:30