ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે ઈરાનના હુમલાનો જવાબ આપી રહ્યું છે. ઇઝરાયેલી સેનાનો દાવો છે કે દક્ષિણ લેબેનોનમાં હવાઈ હુમલામાં બે હિઝબુલ્લાહ કમાન્ડર સહિત ત્રણ દુશ્મનો માર્યા ગયા છે. રદવાન ફોર્સના પશ્ચિમી સેક્ટરના રોકેટ અને મિસાઈલ યુનિટના કમાન્ડર મોહમ્મદ હુસૈન શાહહૌરી હવાઈ હુમલામાં માર્યાં ગયા છે.
ઈઝરાયેલનો જીવલેણ હુમલો
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ હુસૈન શાહહૌરીએ લેબનોનના મધ્ય અને પશ્ચિમી વિસ્તારોમાંથી ઈઝરાયેલના વિસ્તારો તરફ રોકેટ અને મિસાઈલ હુમલાની યોજના બનાવી હતી. હિઝબુલ્લાહના રોકેટ અને મિસાઇલ યુનિટના અન્ય કમાન્ડર, મહમૂદ ઇબ્રાહિમ ફદલ્લાહ પણ હવાઈ હુમલામાં માર્યાં ગયા હતા,
Three Hezbollah fighters killed in airstrike in Lebanon: Israel Defence Forces
— ANI Digital (@ani_digital) April 17, 2024
Read @ANI Story | https://t.co/2bccMdeHv8#US #IDF #Lebanon #Hezbollah #IsraelDefenceForces pic.twitter.com/O8PpilaZln
હિઝબુલ્લાહે લડવૈયાઓની મોતની પુષ્ટી કરી
ઇઝરાયેલી સંરક્ષણ દળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ લેબનોનમાં તેના હવાઈ હુમલામાં લેબનોનના આઈન અબેલ વિસ્તારમાં હિઝબુલ્લાહના દરિયાકાંઠાના વિસ્તારના કમાન્ડર ઈસ્માઈલ યુસેફ બાઝ માર્યો ગયો છે. હિઝબુલ્લાએ પણ તેના ત્રણ લડવૈયાઓના મોતની પુષ્ટિ કરી છે. જો કે, હિઝબુલ્લાહ તરફથી આ વિશે વધુ કંઈ કહેવામાં આવ્યું નથી.
ઈરાને હુમલો કર્યો હતો
ઈરાને ગયા શનિવારે (13 એપ્રિલ, 2024) ઈઝરાયેલ પર 300 થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડી હતી. આ અંગે ઈરાને કહ્યું હતું કે તેણે સીરિયામાં તેના કોન્સ્યુલેટ પર 1 એપ્રિલે થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઈરાને હુમલો કર્યો અને તેના પર સેંકડો ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલ છોડવામાં આવી હતી. ઈરાન દ્વારા છોડવામાં આવેલા ડ્રોન અને મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યાં હતા.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યાં બાદ ટ્રમ્પ બિઝનેસ કરી શકશે કે નહીં ? | 2025-01-11 11:57:26
હોલીવુડ સ્ટુડિયો માટે ખતરો....અમેરિકામાં વોર્નર બ્રધર્સ-વોલ્ટ ડિઝની સ્ટુડિયો પણ આગમાં, જુઓ તસવીરો | 2025-01-09 15:18:06
તિબેટમાં ભૂકંપના કારણે તબાહી મચી, 126 લોકોનાં મોતના અહેવાલ | 2025-01-07 11:08:53
Fact Check: શું ચીને ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે ? જાણો આ વાયરલ દાવાની સત્યતા | 2025-01-06 17:24:09
ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો | 2025-01-12 10:32:29