અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લામાં ગયેલા સરકારના 2008 બેચના IAS અધિકારી ડો.ધવલ પટેલે શિક્ષણ સચિવ વિનોદ રાવને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમને જણાવ્યું છે કે,ચકાસણી દરમિયાન કેટલીક શાળાઓમાં શિક્ષણનું સ્તર બહું જ નબળું છે. તેમનો આ પત્ર મીડિયામાં આવ્યાં બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસે શિક્ષણની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યાં છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું છે કે રાજ્યમાં દર વર્ષે પ્રવેશોત્સવનું આયોજન થાય છે, પ્રવોશોત્સવમાં વાહવાહી કરતા શિક્ષણ વિભાગની પોલ હવે ખુલી ગઈ છે. સરકાર આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખતી હોય તેવું લાગી રહ્યું છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જ્ઞાન આપનાર શિક્ષક જ નથી હોતા. ધવલ પટેલે હિંમત દાખવી છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે ટ્વિટ કરીને લખ્યું છે કે એક IAS ઓફિસરે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, છોટાઉદેપુર અને અન્ય આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી શાળાઓની સ્થિતિ સારી નથી. જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની સ્થિતિ સુધરવાની નથી.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ મુદ્દે પોતાની સરકારનો બચાવ કરતા જણાવ્યું છે કે, ગુજરાત સરકાર તમામ વિસ્તારોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવા પ્રયત્ન કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે આનું બ્રિફિગ લીધું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે. ત્યારે ધવલ પટેલે પણ એ સૂચન કર્યું હતું અને એ બાબતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પીએમ મોદીએ કમલમમાં કાર્યકરો સાથે મુલાકાત કર્યા બાદ ટ્વિટથી કહી આ વાત | 2024-05-02 08:49:48
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24
ATS-NCB ના દરોડામાં નવું અપડેટ, આટલા કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત | 2024-04-28 12:39:48
ગાંધીનગર નજીક આ ગામમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, ખેતરમાં એક ઘરમાં દરોડા | 2024-04-27 17:52:35
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12