Sat,04 May 2024,12:49 am
Print
header

આખરે લાંગા પ્રકરણનો રેલો સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચ્યો, શિક્ષણ મંત્રીના અધિક અંગત સચિવ અજયસિંહ ઝાલાને હટાવાયા – Gujarat Post

ગાંધીનગરઃ પૂર્વ કલેકટર એસ કે લાંગાએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે, હવે આ કેસની તપાસનો રેલો સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચ્યો છે. લાંગાના કાર્યકાળ દરમિયાન ગાંધીનગર કલેકટર કચેરીમાં નાયબ કલેક્ટર જમીન સુધારણા તરીકે ફરજ બજાવી ચુકેલા અજયસિંહ ઝાલાને કેબિનેટ મંત્રીના કાર્યાલયમાંથી હટાવાયા છે.

અજયસિંહ ઝાલા હાલ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના કાર્યાલયમાં અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા હતા. તેમની સીનિયર સ્કેલ વર્ગ-1 ની પ્રતિનિયુક્તિની સેવાઓ પરત લેવાઈ છે. મંત્રીના કાર્યાલયના અધિક અંગત સચિવની જગ્યા પરથી તાત્કાલિક ધોરણે ફરજમુક્ત કરાયા છે. રાજ્ય સરકારે સિંગલ ઓર્ડર કરીને તેમને ફરજ મુકત કરી દીધા છે. હવે જીએડી દ્વારા તેમનો નવેસરથી પોસ્ટિંગનો આદેશ કરાશે. એસ.કે.લાંગા જ્યારે કલેક્ટર હતા તે સમયે અજયયિંહ ઝાલા કલેકટર કચેરીમાં ડીસીએલઆર તરીફે ફરજ બજાવતા હતા.

લાંગાની સામે તપાસ કરનારા નિવૃત્ત આઈએએસ વિનય વ્યાસના વધારાના રિપોર્ટમાં કેટલાક નામોનો ઉલ્લેખ છે. જેના પગલે ઝાલાની બદલી કરાઈ છે. ઝાલાના સ્થાને રાજ્ય સરકારે શિક્ષણ મંત્રીના અધિક અંગત સચિવ તરીકે વિજયકુમાર સાંગડીયાની નિમણૂક કરી છે. લાંગાના ભ્રષ્ટાચારમાં ભાગીદાર હજુ અનેક લોકોના નામોના ખુલાસા થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch