નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ED રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યાં છે. ઈડીએ અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તેમના 6 દિવસના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યાં હતા. આજે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. પરંતુ કોર્ટે તેમના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યાં છે. હવે તેમને 1 એપ્રિલે સવારે 11.30 કલાકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કેજરીવાલ-EDને જવાબ આપવામાં વિલંબ કરી રહ્યાંનો દાવો
EDએ કેજરીવાલની વધુ સાત દિવસની કસ્ટડીની માંગ કરી હતી અને કહ્યું કે આ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે તેમની પૂછપરછ જરૂરી છે. EDએ કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલ જવાબ આપવામાં વિલંબ કરી રહ્યાં છે, તેમના ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ જાહેર કરી રહ્યાં નથી. રિમાન્ડની માંગ કરતી વખતે EDએ જણાવ્યું કે મોબાઇલ ફોનનો ડેટા તેમની પત્નીનો છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
21.03.2024 ના રોજ અરવિંદ કેજરીવાલના પરિષરની તપાસ દરમિયાન જપ્ત કરાયેલા અન્ય 4 ડિજિટલ ઉપકરણોનો ડેટા હજુ સુધી કાઢવામાં આવ્યો નથી.
શું મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે 4 નિવેદન પૂરતા છે- કેજરીવાલ
કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું કે, “એક્સાઈઝ પોલિસી કેસમાં ચાર સાક્ષીઓએ મારું નામ લીધું છે. શું મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે ચાર નિવેદનો પૂરતા છે ? કેજરીવાલે આરોપ લગાવ્યો કે શરતચંદ્ર રેડ્ડીએ ભારતીય જનતા પાર્ટીને 55 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મારી પાસે તેના પુરાવા છે.
આમ આદમી પાર્ટી ભ્રષ્ટ હોવાનું ખોટું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે - કેજરીવાલ
રેડ્ડી અરબિંદો ફાર્મા લિમિટેડના ડિરેક્ટર છે અને આ કેસમાં સરકારના સાક્ષી બનેલા સહ-આરોપીમાંથી એક છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટ હોવાની ખોટી તસવીર દેશ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને તેઓ EDની તપાસનો સામનો કરવા તૈયાર છે. આ મામલામાં 21 માર્ચે AAPના રાષ્ટ્રીય કન્વીનરની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટે તેમને 28 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તપાસમાં સહકાર આપવા માગે છે પરંતુ EDના આધારે નહીં.
રાજકીય ષડયંત્રનો જનતા જવાબ આપશેઃ કેજરીવાલ
કેસની સુનાવણી માટે જ્યારે કેજરીવાલને કોર્ટ રૂમમાં લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે તેમને પત્રકારોને કહ્યું હતું કે ‘આ એક રાજકીય કાવતરું છે.’ દરમિયાન દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ કોર્ટમાં હાજર હતા. મુખ્યમંત્રીના પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર હતા.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49
કોંગ્રેસ નેતા પૂંજા વંશની પોલીસને ખુલ્લી ચીમકી, ખાખી ઉતારીને ભાજપમાંથી ચૂંટણી લડવા આવી જાજો | 2025-02-13 12:34:51
દિલ્હીમાં AAP સાફ, 48 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો, કેજરીવાલની પાર્ટીને માત્ર 22 સીટ | 2025-02-09 11:07:17
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44