Fri,26 April 2024,8:03 am
Print
header

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી નાખવાની ધમકી, પોલીસે નોંધ્યો ગુનો- Gujarat Post

(file photo)

રાયપુરઃ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હાલ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર છત્તીસગઢના રાયપુરમાં છે. મળતી માહિતી મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીને અજાણ્યા મોબાઇલ પરથી આ ધમકી આપવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ લોકેશ ગર્ગ તરફથી છતરપુરના બમિથા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અત્યારે રાયપુરમાં ધીરેન્દ્રનો દૈવી દરબાર ચાલી રહ્યો છે.

છતરપુરના એસપી સચિન શર્માએ કેસ નોંધાયાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આરોપીનું નામ અમરસિંહ છે. અમરસિંહ વિરુદ્ધ કલમ 506, 507 હેઠળ બમિથા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આરોપીને શોધી રહી છે.

આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનાર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકીઓ મળ્યાં બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.શાસ્ત્રી ઘણા દિવસોથી વિવાદમાં રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch