નવી દિલ્હીઃ કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં છે. આધ્યાત્મિક ગુરુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપવા બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. હવે તેમને ટ્વિટ કરીને કોંગ્રેસ પાર્ટી પર વળતો પ્રહાર કર્યો છે.
આચાર્ય પ્રમોદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીને ટેગ કર્યાં અને લખ્યું, "રામ અને રાષ્ટ્ર પર સમાધાન થઈ શકે નહીં."
આચાર્ય કૃષ્ણમ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વતી લખનઉ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા,પરંતુ તેઓ હારી ગયા હતા. આચાર્ય કૃષ્ણમે હાલમાં જ રામલ્લાના અભિષેક સમારોહ માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં ભાગ ન લેવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અનુશાસનહીનતાની ફરિયાદો અને પાર્ટી વિરુદ્ધ વારંવારના નિવેદનોને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ અધ્યક્ષે પ્રમોદ કૃષ્ણમને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી તાત્કાલિક અસરથી છ વર્ષ માટે હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે.
તાજેતરમાં આચાર્ય કૃષ્ણમ પીએમ મોદીને મળ્યાં હતા અને તેમને 19 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના સંભલમાં શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આચાર્ય કૃષ્ણમ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહમાં ભાગ ન લેવા સહિત કોંગ્રેસ નેતૃત્વના કેટલાક નિર્ણયોની ટીકા કરી રહ્યાં હતા.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
राम और “राष्ट्र”
— Acharya Pramod (@AcharyaPramodk) February 11, 2024
पर “समझौता” नहीं किया जा सकता. @RahulGandhi
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી હાથ ધરી | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
કળિયુગના પુત્રની કાળી કરતૂતઃ પહેલા માતાને મોતને ઘાટ ઉતાર્યા, પછી ક્રિએટ કર્યો લૂંટનો સીન- Gujarat Post | 2024-07-25 11:14:33