લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન તેમણે કલ્કિ ધામ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પ્રશંસા કરી હતી. તેના પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ પીએમ મોદીના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું, "મોદી જેવો બીજો વડાપ્રધાન ક્યારેય થયો નથી. ન તો ભૂતો ન ભવિષ્યતિ.
પ્રમોદ ક્રિષ્નમે જણાવ્યું કે, વડાપ્રધાને શ્રી કલ્કિ ધામની ભૂમિને જે આદર સાથે પ્રણામ કર્યાં છે. હું માનું છું કે ન તો ભૂતકાળમાં કોઈ હતો અને ન તો ભવિષ્યમાં નરેન્દ્ર મોદી જેવો કોઈ બીજો PM હોઈ શકે.' આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે આ આપણા દેશ અને 'સનાતન ધર્મ' માટે ગર્વની ક્ષણ છે. ક્રિષ્નમે કહ્યું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ ભાવનાત્મક દિવસ છે. આજનો દિવસ સમગ્ર સનાતન અને વિશ્વ માટે ગૌરવનો દિવસ છે. પીએમ મોદીનું નામ યુગો સુધી ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં લખવામાં આવશે.
કલ્કિધામના શિલાન્યાસ સમારોહમાં પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે સંભલમાં કલ્કિ ધામ મંદિર બનશે. પીએમ મોદી સત્યયુગથી કલયુગ સુધીના સેતુ બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 19 ફેબ્રુઆરીએ શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન પીએમએ કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પ્રશંસા કરી હતી. જે બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે મંચ પરથી જ હાથ જોડીને પીએમનું અભિવાદન કર્યું હતું.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'હું પ્રમોદ કૃષ્ણમને દૂરથી એક રાજકીય વ્યક્તિ તરીકે ઓળખતો હતો, પરંતુ થોડા દિવસો પહેલા જ્યારે હું તેમને મળ્યો ત્યારે મને ખબર પડી કે તેઓ આવા ધાર્મિક-આધ્યાત્મિક કાર્યોમાં કેટલી મહેનત કરે છે. કલ્કિ મંદિર માટે તેમને અગાઉની સરકારો દરમિયાન લાંબી લડાઈ લડવી પડી હતી અને કોર્ટના ચક્કર ખાવા પડ્યાં હતા.નોંધનિય છે કે હાલમાં જ આચાર્યને કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે, રામમંદિરમાં ન જવાના કોંગ્રેસના નિર્ણયની તેમને ટીકા કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસ સામેના નિવેદનો બદલ તેમને હાંકી કાઢવામાં આવ્યાં હતા.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી હાથ ધરી | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
કળિયુગના પુત્રની કાળી કરતૂતઃ પહેલા માતાને મોતને ઘાટ ઉતાર્યા, પછી ક્રિએટ કર્યો લૂંટનો સીન- Gujarat Post | 2024-07-25 11:14:33