લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન તેમણે કલ્કિ ધામ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પ્રશંસા કરી હતી. તેના પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ પીએમ મોદીના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું, "મોદી જેવો બીજો વડાપ્રધાન ક્યારેય થયો નથી. ન તો ભૂતો ન ભવિષ્યતિ.
પ્રમોદ ક્રિષ્નમે જણાવ્યું કે, વડાપ્રધાને શ્રી કલ્કિ ધામની ભૂમિને જે આદર સાથે પ્રણામ કર્યાં છે. હું માનું છું કે ન તો ભૂતકાળમાં કોઈ હતો અને ન તો ભવિષ્યમાં નરેન્દ્ર મોદી જેવો કોઈ બીજો PM હોઈ શકે.' આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે આ આપણા દેશ અને 'સનાતન ધર્મ' માટે ગર્વની ક્ષણ છે. ક્રિષ્નમે કહ્યું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ ભાવનાત્મક દિવસ છે. આજનો દિવસ સમગ્ર સનાતન અને વિશ્વ માટે ગૌરવનો દિવસ છે. પીએમ મોદીનું નામ યુગો સુધી ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં લખવામાં આવશે.
કલ્કિધામના શિલાન્યાસ સમારોહમાં પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે સંભલમાં કલ્કિ ધામ મંદિર બનશે. પીએમ મોદી સત્યયુગથી કલયુગ સુધીના સેતુ બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 19 ફેબ્રુઆરીએ શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન પીએમએ કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પ્રશંસા કરી હતી. જે બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે મંચ પરથી જ હાથ જોડીને પીએમનું અભિવાદન કર્યું હતું.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'હું પ્રમોદ કૃષ્ણમને દૂરથી એક રાજકીય વ્યક્તિ તરીકે ઓળખતો હતો, પરંતુ થોડા દિવસો પહેલા જ્યારે હું તેમને મળ્યો ત્યારે મને ખબર પડી કે તેઓ આવા ધાર્મિક-આધ્યાત્મિક કાર્યોમાં કેટલી મહેનત કરે છે. કલ્કિ મંદિર માટે તેમને અગાઉની સરકારો દરમિયાન લાંબી લડાઈ લડવી પડી હતી અને કોર્ટના ચક્કર ખાવા પડ્યાં હતા.નોંધનિય છે કે હાલમાં જ આચાર્યને કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે, રામમંદિરમાં ન જવાના કોંગ્રેસના નિર્ણયની તેમને ટીકા કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસ સામેના નિવેદનો બદલ તેમને હાંકી કાઢવામાં આવ્યાં હતા.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Part- 1 ગુજરાતમાં GST ની બોગસ પેઢીઓનો રાફડો ફાટ્યો, કૌભાંડોમાં દેશમાં ગુજરાત નંબર-2 પર આવી ગયું, ભાજપના માનીતા અધિકારીઓને કારણે આ શક્ય બન્યું !! | 2024-05-04 20:55:37
ACB Trap News: વડોદરાના આ ક્લાસ-1 સરકારી બાબુ રૂ. 2,25,000 ની લાંચ લેતા પકડાઇ ગયા | 2024-05-04 18:55:48
ગેનીબેન માટે પ્રિયંકાનો પ્રચાર, કહ્યું મોદી ગુજરાતના લોકોને ભૂલીને વારાણસી ભાગી ગયા, ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર | 2024-05-04 12:35:29
પ્રેમિકાનું મોત...રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળા પર ફેરવી દીધી બ્લેડ- Gujarat Post | 2024-05-04 10:40:27
તમે મતદાન ચોક્કસથી કરજો...નડિયાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં મતદાન કરોના સંદેશવાળો દાદાને શણગાર કરવામાં આવ્યો | 2024-05-04 10:38:58
કટાક્ષ...મહાત્મા મોદી પણ આ જ ભૂમિમાં પેદા થયા, આ ભૂમિ ધન્ય છે જે બધું સહન કરે છે: મલ્લિકાર્જુન ખડગે | 2024-05-04 08:08:29
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
મસૂરી-દેહરાદૂન રોડ પર એક કાર ખીણમાં ખાબકી, ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત | 2024-05-04 09:16:42
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48
Lok Sabha Elections 2024: અમિત શાહના એડિટેડ વીડિયો મામલે કાર્યવાહી તેજ, પોલીસે આ 3 મોટા નેતાઓને મોકલી નોટિસ | 2024-05-02 08:41:11