Fri,26 April 2024,4:40 am
Print
header

7 એવી વસ્તુઓ જે ક્યારેય શરીરમાં પાણીની કમી નહીં થવા દે, બદલાતી સિઝનમાં રહેશો ફ્રેશ, સ્વાસ્થ્યને લઇને નહીં રહે ચિંતા

શિયાળો વીતી ગયો છે અને હવે ગરમી શરૂ થઇ ગઇ છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે, સાથે જ શરીરને હાઇડ્રેટ રાખવાની જરૂરિયાત પણ અનુભવાઈ રહી છે. ઉનાળાની ઋતુમાં આપણે શરીરને ડિહાઈડ્રેટ ન થવા દઈએ તે ખૂબ જ જરૂરી છે, નહીં તો આપણને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉનાળામાં તમારી ખાવાપીવાની આદતોમાં ફેરફાર કરીને તમે તમારી જાતને સરળતાથી સ્વસ્થ અને ફિટ રાખી શકો છો. 

સફરજન- તમે આ કહેવત ઘણી વખત સાંભળી હશે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી. આ એકદમ સાચું છે કારણ કે સફરજનમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો તેમજ 86 ટકા પાણી હોય છે. સફરજન એ લગભગ આખું વર્ષ સરળતાથી મળતું ફળ છે. સફરજનનું સેવન ઉનાળામાં ચયાપચયના સ્તરને વધારવામાં મદદ કરે છે.

ટામેટાં - ટામેટાંનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં શાકભાજી અને સલાડ તરીકે થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ટામેટાંમાં 94 ટકા પાણી હોય છે. તે શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવામાં ઘણી મદદ કરે છે. ટામેટાંમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી હાયપરટેન્શનનું જોખમ ઘટે છે અને ત્વચાના આરોગ્યમાં સુધારો થાય છે.

કાકડી - ઉનાળામાં સલાડ તરીકે કાકડીનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે, તે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ થાય છે. કાકડીમાં 95 ટકા પાણી હોય છે.તેમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. કાકડી ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટે છે. કાકડી ખાવાથી મગજના સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

તરબૂચ - ઉનાળાની ઋતુ આવતા જ બજારમાં તરબૂચ દેખાવા લાગે છે. તરબૂચ સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં 92 ટકા પાણી હોય છે, તે હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તેમાં અન્ય પોષક તત્વો પણ શામેલ છે જે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.

મશરૂમ - શરીરને હાઇડ્રેટેડ રાખતા ફૂડમાં મશરૂમનું નામ સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ તેને ખાવાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે. મશરૂમ્સ વિટામિન બી 2 અને ડીનો સારો સ્રોત છે. તેમાં 92 ટકા સુધી પાણી હોય છે. જો તમે નિયમિત રીતે મશરૂમ ખાઓ છો, તો તે થાક ઘટાડવામાં મદદ કરે છે.

સ્ટ્રોબેરી - લાલ રંગનું આ નાનું ફળ સ્વાદની સાથે-સાથે પોષણની દ્રષ્ટિએ પણ કોઈથી ઓછું નથી. સ્ટ્રોબેરીમાં 91 ટકા પાણી હોય છે. તેમાં ઘણા બધા એન્ટી-ઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ, મેંગેનીઝ અને ફોલેટ હોય છે.આ બધા પોષક તત્વો ડાયાબિટીસ, કેન્સર અને કેટલાક ગંભીર હૃદય રોગોમાં ખૂબ ફાયદાકારક છે.

બ્રોકોલી - વિદેશી વેજિટેબલ બ્રોકોલી આપણા દેશમાં ખૂબ પસંદ થવા લાગી છે. બ્રોકોલી શરીરમાં પાણીની કમીને પૂરી કરવામાં ઘણી મદદ કરે છે.તેમાં 90 ટકા પાણી હોય છે. આ સાથે જ બ્રોકોલીમાં વિટામિન એ, કે, કેલ્શિયમ, ફોલિક એસિડ અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. 

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar