Sat,27 April 2024,10:42 am
Print
header

દિલ્હીમાં થાર ગાડીએ લોકોને કચડ્યાં, 2 લોકોનાં સ્થળ પર જ મોત, 8 ઘાયલ- Gujarat Post

(Photo : ANI)

દિલ્હીમાં બેકાબૂ કારે લોકોને લીધા અડફેટે

બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ

નવી દિલ્હી: દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં મલાઈ મંદિર નજીક એક થાર ગાડીએ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ છે.

આ ઘટના દક્ષિણ પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં મલાઈ મંદિર નજીક બની હતી. પુરઝડપે આવેલી થારે સાત લોકોને કચડી નાખ્યા હતા. જેમાં બે લોકોના સ્થળ પર જ મોત થયા હતા. એટલું જ નહીં થાર કારની ટક્કર એટલી ભયાનક  હતી કે નજીકમાં પાર્ક કરેલી બે કારને પણ નુકસાન થયું હતું.

સૂચના મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. થારની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો  હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર રહી તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch