Sat,27 July 2024,10:47 am
Print
header

1 વાટકી દહીં શરીરને ઠંડુ રાખશે, સનસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચાવશે, જાણો તેને ખાવાનો યોગ્ય સમય કયો છે ?

તમે દહીં ખાવાના ફાયદાઓ વિશે ઘણું જાણતા જ હશો. પરંતુ શું તમે જાણો છો કે દહીં ખાવાના કેટલાક ફાયદા તેને ખાવાના સમય સાથે સંબંધિત છે. અલગ-અલગ સમયે દહીં ખાવાથી વિવિધ પ્રકારના ફાયદા થઈ શકે છે. દહીંને નાસ્તામાં ખાવાથી મગજને બૂસ્ટર કરે છે અને લંચમાં પેટનું ફૂલવું અટકાવે છે. રાત્રે ખાવાથી સેરોટોનિન વધે છે અને સારી ઊંઘમાં મદદ મળે છે.

નાસ્તામાં રોજ એક વાટકી દહીં ખાવાના ફાયદા

શરીર રહેશે ઠંડુઃ નાસ્તામાં દરરોજ એક વાટકી દહીં ખાવાથી તમારા પેટની ગરમી ઓછી થાય છે. દહીં ઠંડકની અસર ધરાવે છે અને તાપમાનને સંતુલિત કરવામાં મદદરૂપ છે. જ્યારે તમે દહીં ખાધા પછી બહાર જાઓ છો, બહારનું તાપમાન ગમે તેટલું ગરમ હોય, તે મુજબ શરીરને સંતુલિત અને ઠંડુ રાખવાનો પ્રયાસ કરે છે.

ડિહાઇડ્રેશન સામે રક્ષણ આપશેઃ બધેય હીટવેવના સમાચાર છે. દરરોજ એક વાટકી દહીં ખાવાથી તમે હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચી શકો છો, જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે, ત્યારે લોકો તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનને કારણે હીટસ્ટ્રોકનો શિકાર બને છે. આ સ્થિતિમાં દહીંનું સેવન હીટસ્ટ્રોકથી બચવામાં અને શરીરમાં હાઇડ્રેશન વધારવામાં મદદ કરી શકે છે. તેથી હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચવા માટે તમારે નાસ્તામાં દહીં ખાવું જોઈએ.

પાચનતંત્ર મજબૂત થશેઃ દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે પેટ માટે મદદરૂપ બને છે. આ બેક્ટેરિયા પાચનતંત્રને ઝડપી બનાવે છે. ઉપરાંત તે ચયાપચયને ઝડપી બનાવે છે.

દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે ?

તમે ઉનાળાની ઋતુમાં ગમે ત્યારે દહીંનું સેવન કરી શકો છો. તમે તેને તમારા નાસ્તામાં સામેલ કરી શકો છો. બપોરના નાસ્તામાં સામેલ કરી શકાય છે. તમે સાંજે રાયતું બનાવીને ખાઈ શકો છો. પરંતુ જો તમને શરદી અને ઉધરસની સમસ્યા હોય તો રાત્રે દહીં ખાવાનું ટાળો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar