Thu,25 April 2024,5:58 pm
Print
header

પથરી અને ડાયેરિયામાં ભૂલથી પણ ન ખાશો ટામેટાં, થઈ શકે છે મોટું નુકસાન- Gujarat Post News

ટામેટાંનો ઉપયોગ મોટાભાગે શાક બનાવવા માટે થાય છે. સાથે જ લોકો તેને સલાડ કે કાચા ખાવાનું પસંદ કરે છે. તેને ખાતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેને વધારે પ્રમાણમાં ખાવાથી આપણા શરીરને નુકસાન થઇ શકે છે. કેટલાક રોગોમાં તેનું સેવન કરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ટામેટાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે, તેમ છતાં તેના ફાયદા ઉપરાંત કેટલીક આડઅસરો થાય છે. તમારે તેના વિશે જાણવું જોઈએ. ટામેટાં વધારે ખાવાથી બીમારી પણ થઈ શકે છે.

આ સમસ્યાઓમાં ટામેટાંના ગેરફાયદા

કિડનીના દર્દીઓ માટે

જે લોકો કિડનીને લગતી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે, તેમના માટે ટામેટાંનું સેવન ભારે પડી શકે છે.આ સમસ્યામાં પોટેશિયમનું વધુ પડતું સેવન તમારા શરીરને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ટામેટાંમાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેને કારણે પથરી થઈ શકે છે. 

ડાયેરિયામાં ટામેટાંનું સેવન

ડાયેરિયાના દર્દીઓને ટામેટાંનું સેવન કરવાનું ટાળવાનું સૂચન કરવામાં આવે છે. ટામેટાંમાં સાલ્મોનેલા નામનું બેક્ટેરિયમ હોય છે, જે ડાયેરિયાની સમસ્યા વધારવાનું કામ કરે છે. માટે ટામેટાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું આપણા માટે ફાયદાકારક છે.

આ બીમારીઓથી પણ થાય છે નુકસાન

1- સાંધાના દુખાવામાં

સાંધાના દુખાવાની સમસ્યા મોટે ભાગે વૃદ્ધોમાં જોવા મળે છે અને તેમને ટામેટાં વધુ ખાવાની મનાઈ છે, કારણ કે ટામેટાંના સેવનથી દુખાવાની સમસ્યામાં ઘણું નુકસાન થઈ શકે છે. તેમાં સોલેનિન હોવાને કારણે સાંધામાં સોજા કે દુખાવાને પ્રોત્સાહન મળે છે.

2- પાચનની સમસ્યા

ઘણી વખત ટામેટાં પાચન સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે, કારણ કે તેમાં હાઈ એસિડિટી અથવા સાઇટ્રિક એસિડ હોય છે, જે એસિડિટીનું કારણ બની શકે છે. જેનાથી છાતીમાં બળતરા, પેટમાં દુખાવો, ગેસની સમસ્યા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગેસથી પીડિત લોકોને ટામેટાં ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

3- એલર્જીમાં ટામેટાં

એલર્જીથી પીડાતા લોકો માટે ટામેટાં ખાવા હાનિકારક હોઈ શકે છે.ટામેટા ખાવાથી ચહેરાની ત્વચાની એલર્જી અથવા શરીરની કોઈ એલર્જીમાં નુકસાન થાય છે.આ સમસ્યાઓમાં ટામેટાંને તમારા આહારમાં સામેલ કરવાનું ટાળો, નહીં તો આ સમસ્યાઓ વધુ વધી શકે છે. કેટલીકવાર ત્વચા પર ફોલ્લીઓ પણ ઉદભવી શકે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar