સુરતઃ ઉત્તરાયણ સમયે માંજાને કારણે અનેક વાહન ચાલકોના ગળા કપાયાના અનેક કિસ્સા છે, હવે ફરી એક વખત આવી દોરીએ કોઇનો જીવ લઇ લીધો છે. સુરતમાં કામરેજ ચાર રસ્તા નજીક દોરીને કારણે બાઈક ચાલકનું ગળું કપાઈ જતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ નવાગામના રહેવાસી હતા. પતંગનો માંજો તીક્ષ્ણ હથિયારની જેમ ગળા પર ફરી વળ્યો અને ગંભીર રીતે ગળાના ભાગે ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું.
નવાગામમાં રહેતા 52 વર્ષીય બળવંતભાઇ લૂમ્સના કારખાનામાં મજૂરીકામે જતા હતા. લૂમ્સના કારખાનામાંથી તેઓ સાંજના સમયે પરત ફરતા હતા, ત્યારે કામરેજ ચાર રસ્તા પાસે તેઓ કંઈ સમજે એ પહેલાં જ તેમના ગળા પરથી પતંગનો દોરો પસાર ગયો હતો. તેને કારણે ગળાની નસો કપાઈ ગઇ હતી. તેમના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.
નોંધનિય છે કે પાંડેસરાના પુનિતનગરમાં રહેતા બબલુકુમાર હરીશચંદ્ર વિશ્વકર્મા 19 ડિસેમ્બરે ડિંડોલી તેમના કાકાના ઘરે જતા હતા ત્યારે પણ પતંગની દોરી વચ્ચે આવી જતાં તેમનું ગળુ કપાઈ ગયું હતુ. દોરીથી બચવાના પ્રયાસમાં તેમની પત્નીને પણ આંગળીમાં ઈજા થઈ હતી અને બાઈક પરથી પડી ગયા હતા. લોકો દોડી આવતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, હાલ બબલુભાઈની તબિયત સ્થિર છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Google ભારતમાં લોન્ચ કરી Wallet એપ, Google Pay નું શું થશે ? | 2024-05-08 17:36:14
ગુજરાતમાં ચૂંટણીઓમાં પણ ગુંડારાજ....મહિસાગરમાં ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો આવ્યો સામે | 2024-05-08 15:24:38
પહેલી જ વખત વડાપ્રધાન મોદીનો રાહુલ પર આવો પ્રહાર, અદાણી-અંબાણી પાસેથી તમે કેટલા રૂપિયા લઇને બોલવાનું બંધ કર્યું ? | 2024-05-08 14:20:40
મોદીની એટલી જ ચિંતા હતી તો પહેલા જ રૂપાલાએ રાજકોટ બેઠક કેમ ન છોડી ? હવે કહ્યું મારા કારણે ભાજપને નુકસાન, ક્ષત્રિયોની ફરી માફી માંગી | 2024-05-08 11:49:23
જો ક્ષત્રિય સમાજનો 7 બેઠકો પર ભાજપની હારનો દાવો સાચો પડશે, તો આ ભાજપની પડતીની શરૂઆત હશે ? | 2024-05-08 09:51:57
રાજ્યના આ 3 ગામોમાં એક પણ વોટ ન પડ્યો, લોકોએ લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર | 2024-05-08 08:45:06
Breaking News: ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં સરેરાશ 59.51 ટકા મતદાન,ચૂંટણીપંચે કરી આ મહત્વની વાત | 2024-05-07 19:30:11
ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના હૈ...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે | 2024-05-05 20:31:57
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37