Fri,03 May 2024,1:32 pm
Print
header

રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી, 1 મહિલાનું મોત, અનેક ગંભીર રીતે ઘાયલ

ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી

અનેક લોકો વોકળામાં દબાતા ઇજાગ્રસ્ત થયા

આ ઘટનામાં એક મહિલાનું મોત

રાજકોટઃ સર્વેશ્વર ચોકમાં ગણપતિ પંડાલ પાસે સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તે સમયે અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા એક મહિલાનું મોતનું  થયું છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બચાવની કામગીરી હાથ ધરી છે.

સર્વેશ્વર ચોકમાં પંડાલ પાસેનો આ સ્લેબ જૂનો અને જર્જરિત હોવાથી આ દૂર્ઘટના બની હોવાની માહિતી મળી છે.દૂર્ઘટનામાં એક મહિલાનુ મોત થયું છે. મૃતકનું નામ ભાવનાબેન ઠક્કર (ઉં.વ-60) છે. ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ અને પોલીસની ટીમ બચાવ કામગીરી હાથ ધરી છે.

સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના સર્જાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજકોટનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટના માધાપર બ્રિજનું લોકાર્પણ થવાનું હતું. પરંતુ સીએમ હવે આજે રાજકોટ જવાના નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch