Fri,03 May 2024,9:33 am
Print
header

રાજકોટઃ જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
   

રાજકોટઃ જેતપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પોલીસ ક્વાર્ટરમાં જ તેમને આ પગલું ભયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.મૃતક જસદણના શિવરાજપુરના વતની હતા. મહિલા કોન્સ્ટેબલના આપઘાતથી પરિવારમાં અને પોલીસ લાઈનમાં અરેરાટી મચી ગઇ છે.

મૃતક જસદણના શિવરાજપુરના વતની હતા

જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં

શિવરાજપુરના વતની દયાબેન શંભુભાઈ સરિયા નામના મહિલા કોન્સ્ટેબલે પોલીસ કવાર્ટરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં. તેમને ક્યા કારણોસર આ પગલુ ભર્યું છે તે હજુ જાણવા મળી નથી. મૃતક મહિલા કોન્સ્ટેબલ અપરણિત હતા. હાલમાં પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch