Sat,27 July 2024,6:43 am
Print
header

INDIA નહીં ભારત, G- 20 સમિટમાં PM મોદીની સામે દેશની પ્લેટ પરનું નામ બદલવામાં આવ્યું

નવી દિલ્હીઃ INDIA vs BHARAT ને લઈને કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય મંચ પર મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. આજે જ્યારે પીએમ મોદીએ G-20 સંમેલનને સંબોધિત કર્યું ત્યારે તેમના ટેબલ પર રાખેલી દેશની પ્લેટ પર દેશનું નામ INDIA નહીં પરંતુ ભારત લખવામાં આવ્યું હતું. આ એટલા માટે પણ ખાસ છે કારણ કે અગાઉ જ્યારે પણ વડાપ્રધાન કોઈ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સંબોધન કરતા હતા ત્યારે તેમના ટેબલ પર રાખેલી દેશની પ્લેટ પર દેશનું નામ લખવામાં આવતું હતું.

આ સમગ્ર વિવાદ 5 સપ્ટેમ્બરે શરૂ થયો હતો,જ્યારે G-20 સમિટના રાત્રિભોજન માટેના આમંત્રણ પત્ર પર ઇન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિ લખવામાં આવ્યું હતું. આમંત્રણ પત્ર બહાર આવ્યાં બાદ વિપક્ષનો આરોપ છે કે મોદી સરકાર દેશના નામમાં ફેરફાર કરીને માત્ર ભારત કહેવાની યોજના બનાવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે જેથી INDIA નું નામ બદલીને ભારત કરવામાં આવે.

કોંગ્રેસના નેતાએ બંધારણનો ઉલ્લેખ કર્યો

જયરામ રમેશે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, આ સમાચાર ખરેખર સાચા છે. રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G-20 ડિનર માટે ઇન્ડિયાના રાષ્ટ્રપતિ'ને બદલે 'ભારતના રાષ્ટ્રપતિ'ના નામથી આમંત્રણ મોકલ્યું છે. બંધારણની કલમ 1 વાંચી શકાય છે. જેમાં લખ્યું છે કે 'ભારત' જે ઇન્ડિયા હતું તે રાજ્યોનું સંઘ હશે. પરંતુ હવે આ 'યુનિયન ઓફ સ્ટેટ્સ' પર પણ હુમલો થઈ રહ્યો છે.

જયરામના પ્રહાર, હેમંતે કર્યા વખાણ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન ખાતે 9 સપ્ટેમ્બરે આયોજિત ડિનર માટે રાજ્યોના વડાઓને મોકલવામાં આવેલા આમંત્રણમાં 'ઇન્ડિયાના રાષ્ટ્રપતિ'ની જગ્યાએ 'ભારતના રાષ્ટ્રપતિ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ નેતા અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ મોદી સરકારના આ પગલાની પ્રશંસા કરી હતી.

પીએમે વિવાદને ટાળવાની સલાહ આપી હતી

ઇન્ડિયા વિરુદ્ધ ભારત વિવાદ પ્રકાશમાં આવ્યાના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 સપ્ટેમ્બરે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે તેમણે ઇન્ડિયા વિરુદ્ધ ભારત વિવાદ પર નિવેદનો ન આપે, જેમને બોલવા માટે જે બોલવાનું કહેવામાં આવે તેઓ એટલું જ બોલે. આ બેઠકમાં પીએમએ મંત્રીઓને એમ પણ કહ્યું હતું કે જી-20 બેઠકને ધ્યાનમાં રાખીને તમામ મંત્રીઓ દિલ્હીમાં હાજર રહે. મંત્રીઓને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે તેઓએ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો અને તેમના પ્રતિનિધિમંડળો સાથે રહેવું પડશે. તેઓએ ધ્યાન રાખવું પડશે કે વિદેશી નેતાઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

મૂળભૂત જરૂરિયાતોનું ધ્યાન રાખવું પડશે

પીએમ મોદીએ બેઠકમાં મંત્રીઓને કહ્યું હતું કે વિદેશી નેતાઓના દેશોની સંસ્કૃતિ, જીવનશૈલી અને ખાણી-પીણીની અગાઉથી   જાણકારી મેળવી લે. નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બર વચ્ચે G-20 સમિટ યોજાઈ રહી છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટિશ રાષ્ટ્રપતિ ઋષિ સુનક સહિત વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓ પહોંચ્યા છે. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બેઠકમાં નથી આવ્યા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch