નવી દિલ્હીઃ બિહારની ચૂંટણી માટે જાહેર કરેલા વિઝન ડોક્યુમેન્ટમાં ભાજપે કોરોના રસી આપવાનું વચન આપ્યું છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેના પર વાંધો ઉઠાવ્યો છે. હવે આ વિવાદ ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ આ વચન સામે અવાજ ઉઠાવ્યો છે. ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવા ચૂંટણી પંચને વિનંતી કરી છે. ચૂંટણી ઘોષણાપત્રમાં બિહારના લોકો માટે ફ્રીમાં કોરોના વેક્સિનનું વચન આપીને ભાજપ ફસાયું છે. ત્યારે રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં આ નિવેદનની મજાક ઉડાવી હતી અને તેને ખોટું ચૂંટણી વચન ગણાવ્યું હતું. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરે ચૂંટણી પંચને ચૂંટણીના વચનનું પાલન કરવા અને વચન આપનાર નાણાં પ્રધાન સીતારમણ વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
GOI just announced India’s Covid access strategy.
— Rahul Gandhi (@RahulGandhi) October 22, 2020
Kindly refer to the state-wise election schedule to know when will you get it, along with a hoard of false promises.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ બિહારને મફત કોવિડ રસી આપવાના વચન સામે મોદી સરકારની ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, કે "ભારત સરકારે કોવિડ રસી વિતરણની ઘોષણા કરી છે. હવે દેશવાસીઓ રાજ્યવાર ચૂંટણીના કાર્યક્રમને જોઈને જાણકારી મેળવે કે તેમને કોરોના વેક્સિન ક્યારે મળશે.તે જાણવા કૃપા કરીને તમારી રાજ્યની ચૂંટણીની તારીખ તપાસો."
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરે ભાજપના આ વચન પર કડક ટિપ્પણી કરી હતી. સુભાષચંદ્ર બોઝના પ્રખ્યાત નારા સાથે થરુરે પોતાના ટ્વિટમાં લખ્યું હતું, "તમે મને મત આપો, હું તમને રસી આપીશ..." થરુરે આગળ લખ્યું, "કેવો ભય પેદા કરનાર બદમાશ છે !
तुम मुझे वोट दो मैं तुम्हे वैक्सीन .... what appalling cynicism! Will the ElectionCommission rap her & her shameless Govt on the knuckles? https://t.co/ri1UlWWmgD
— Shashi Tharoor (@ShashiTharoor) October 22, 2020
કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પ્રભારી રણદીપ સુરજેવાલાએ પટણામાં મીડિયાકર્મીઓને સંબોધતા મફત રસી આપવાના વચનને બિહારના લોકોનું અપમાન ગણાવ્યું હતું. સુરજેવાલાએ કહ્યું, 'મોદીજીએ તાજેતરમાં રાષ્ટ્રને સંબોધનમાં ભારતની જનતાને કહ્યું હતું કે રસીકરણમાં હજુ એક વર્ષ લાગશે, પરંતુ બિહારના તેમના નેતાઓ આપણને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દરેકને ખબર છે બિહારમાં કોરોનાકાળ દરમિયાન જે બન્યું, જેમાં એક હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. "
સુરજેવાલાએ કહ્યું, "નીતિશ બાબુ કે સુશીલ મોદી ક્યારેય બિહાર માટે પરેશાન થયા છે ? શું બિહાર આવતા હતા. આ કેન્દ્રીય પ્રધાનોએ ક્યારેય રાજ્ય પર નજર કરી નથી. જ્યારે મોદીજી અને નીતીશ બાબુ બંને ભૂતકાળમાં એકબીજા પર જૂઠું બોલવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આ રોગચાળા દરમિયાન ગરીબ લોકોની મજાક ન ઉડાવે, અમે તેની કડક નિંદા કરીએ છીએ. "
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પુતિન શપથગ્રહણ કરે તે પહેલા જ ઝેલેન્સકીની થવાની હતી હત્યા, જાણો છેલ્લી ક્ષણે કેવી રીતે બચી ગયા | 2024-05-08 09:04:40
રાજ્યના આ 3 ગામોમાં એક પણ વોટ ન પડ્યો, લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર | 2024-05-08 08:45:06
Breaking News: ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં 25 લોકસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ, ચૂંટણીપંચે કરી આ મહત્વની વાત | 2024-05-07 19:30:11
હોસ્પિટલમાં ઘૂસી આવેલા એક શખ્સે એક- એક કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, અનેકને ઘાયલ કર્યાં | 2024-05-07 18:59:30
Amreli News: ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકાનું મોત, હાર્ટએટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી | 2024-05-07 18:05:12
ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા મતદાન, વલસાડ અને બનાસકાંઠામાં લોકોમાં જોરદાર ઉત્સાહ | 2024-05-07 16:22:36
Gujarat loksabha election 2024: રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન, સાંજે ફરી ઉત્સાહ જોવા મળશે | 2024-05-07 14:41:54
લોકસભા ચૂંટણીઃ શાહ સહિત આ કેન્દ્રીય મંત્રીઓના ભાવિ આજે ઈવીએમમાં થશે કેદ- Gujarat Post | 2024-05-07 10:40:45
જમ્મુ કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ- Gujarat Post | 2024-05-06 10:15:54
મંત્રીના પીએસના નોકરના ઘરેથી નોટોનો ઢગલો મળ્યો, EDના દરોડામાં રૂ.30 કરોડની રોકડ જપ્ત | 2024-05-06 09:59:57
અમેઠીમાં હંગામો, કોંગ્રેસ કાર્યાલયની બહાર વાહનોની તોડફોડ, BJP પર આરોપ | 2024-05-06 08:28:43
મોદી પહોંચ્યાં રામલલ્લાના ચરણોમાં...દંડવત પ્રણામ કરીને ભગવાનની આરતી ઉતારી, રેલીમાં ઉમટ્યાં હજારો લોકો | 2024-05-05 21:07:17