Sun,28 April 2024,1:17 am
Print
header

ભાજપની જાહેરાત, આ 4 લોકો ગુજરાતમાંથી જશે રાજ્યસભામાં, રામમંદિરમાં રૂ.11 કરોડનું દાન આપનાર ડાયમંડ કિંગનો સમાવેશ

ગુજરાતમાંથી રાજ્યસભાના 4 ઉમેદવારોના નામો ભાજપે કર્યાં જાહેર

નવી દિલ્હીઃ ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભા માટે તેના 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ગુજરાતમાંથી ચૂંટણી લડશે, તેમના સિવાય સુરતના ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદ ધોળકિયા, ભાજપના મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલાશે.

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા લેઉવા પટેલ સમાજના આગેવાન છે, તેઓએ અયોધ્યામાં રામમંદિરમાં 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતુ, જસવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતના ભાજપના જાણીતા નેતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકને રાજ્યસભામાં મોકલવામાં આવશે.

મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલાનું હવે શું થશે ?

લોકસભા લડાવાશે કે પછી ભાજપમાં અન્ય કોઇ જવાબદારી મળશે ?

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત 8 ફેબ્રુઆરી 2024થી થઇ છે.15 ફેબ્રુઆરી 2024 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 16 ફેબ્રુઆરીએ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે, 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી થશે. નોંધનિય છે કે સંખ્યાબળ ઓછું હોવાને કારણે કોંગ્રેસ આ વખતે તેના કોઇ ઉમેદવારને ઉભા રાખશે નહીં.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch