Fri,03 May 2024,7:39 pm
Print
header

રાજકોટમાં ATS નું મોટું ઓપરેશન, અલ-કાયદાના ત્રણ આતંકવાદીઓ ઝડપાયા

રાજકોટઃ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, રાજકોટ શહેરમાં રહીને આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર કરી રહેલા ત્રણ આતંકીઓને એટીએસે ઝડપી પાડ્યાં છે. આરોપીઓ અંદાજે 6 મહિલાથી સોની બજારમાં કામ કરતા હતા અને અલ કાયદાનું કામ પણ કરતા હતા, તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

એટીએસે ઝડપી પાડેલા આતંકવાદીઓમાં અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝનો સમાવેશ થાય છે. તેમની પાસેથી કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે.

ત્રણેય આરોપીઓ પશ્વિમ બંગાળના રહેવાસી છે અને 6 મહિનાથી અહીં રહેતા હતા, સોની બજારમાં અન્ય મુસ્લિમ કર્મચારીઓને આતંકવાદી બનવા માટે ઉશ્કેરતા હતા, તેમની પાસેથી 1 પિસ્તલ અને 10 કારતૂસ જપ્ત કરાયા છે. તેઓ અન્ય આતંકીઓના સંપર્કમાં હતા. જે મામલે એટીએસ વધારે તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch