Sat,27 April 2024,11:15 pm
Print
header

Breking News- રામ મંદિરના પ્રણેતા અને ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીને ભારતરત્નથી સન્માનવામાં આવશે- Gujarat Post

 નવી દિલ્હીઃ ભાજપના સ્થાપક ચહેરાઓમાંના એક અને સોમનાથથી અયોધ્યાની યાત્રા કરીને રામમંદિર માટે આંદોલન ચલાવનારા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ પોતે એક્સ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે. વડાપ્રધાને પોસ્ટમાં કહ્યું કે ભારતના વિકાસમાં તેમનું યોગદાન યાદગાર છે. તેમનું જીવન પાયાના સ્તરે કામ કરવાથી માંડીને દેશના નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપવા સુધીનું હતું.

પીએમ મોદીએ પોસ્ટમાં કહ્યું કે તેઓ સૌથી મહાન અને આદરણીય જાહેર નેતા રહ્યાં છે. મેં તેમને વાત કરીને આ સન્માન બદલ અભિનંદન પાઠવ્યાં છે. અમારા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓ પૈકીના એક અડવાણીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. તેમણે જમીન સ્તરેથી કામ શરૂ કર્યુ હતું અને ઉપપ્રધાનમંત્રીના રૂપમાં દેશની સેવા કરી. તેમણે ગૃહમંત્રી અને સૂચના તથા પ્રસારણ મંત્રી તરીકે પણ ઓળખ બનાવી.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch