ભરૂચઃ આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમની વાહવાહી કરવા ગુજરાત સરકારે નર્મદાના વધામણા કરીને પાણી છોડ્યું હતુ. પરંતુ આ પાણી કેટલું નુકસાન કરશે તે કોઇએ વિચાર્યું ન હતુ.સરદાર સરોવર ડેમમાંથી આયોજન વગર પાણી છોડવામાં આવ્યું હતું. જેને કારણે ભરૂચ, અંકલેશ્વરમાં તારાજી સર્જાઈ હતી. પાણી ઉતર્યાં બાદ હવે વાસ્તવિક ચિત્ર સામે આવી રહ્યું છે. નર્મદા નદીના કાંઠાના ગામડાઓમાં ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ખેતરોમાં માટીના થર જામી ગયા છે, કપાસ, કેળ સહિતનો પાક ખતમ થઇ ગયો છે. ખેત ઓજારો નકામા થઈ ગયા છે અનેક મકાનોને નુકસાન થયું છે.
પાણી ઓસરતાં હાલ ભરૂચમાં ઠેર ઠેર ગંદકી અને કાદવ-કીચડના ઢગ જોવા મળી રહ્યાં છે. તંત્ર દ્વારા દિવસ રાત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવા છતાં આ સ્થિતિ છે. પાણી ઓસર્યાં બાદ ગઈકાલે મંત્રી કુંવરજી હળપતિ તાગ મેળવવા પહોંચ્યાં હતા ત્યારે લોકોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. મંત્રીએ ઘુંટણ સુધીના બુટ પહેર્યાં હતા. જ્યારે સફાઈ કામદારોને પૂરતા સેફ્ટી સાધનો પણ આપવામાં આવ્યાં ન હતા.જેને લઈને લોકો રોષે ભરાયા હતા. પાણીનો સમયસર નિકાલ નહીં થતાં અહીંના વેપારીઓમાં અને નાગરિકોમાં ભાજપ સરકાર સામે જોરદાક આક્રોશ છે.
આલિયાબેટ વિસ્તારમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી. માલધારીઓના ગાય-ભેંસ સહિતના અનેક પશુઓ લાપતા છે. અનેક પશુઓના મોતના ફોટો સામે આવી રહ્યાં છે, પશુપાલકો લાચાર દેખાઇ રહ્યાં છે. અહીંના 150થી વધુ મકાનો હજુ પાણીમાં ગરકાવ છે અને તેમના પાલતુ દૂધાળા જાનવરો લાપતા છે.બીજી તરફ આ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા | 2023-11-26 09:48:01