હ્યુસ્ટનઃ 2002માં અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં એક ભારતીય સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે 22 વર્ષ પછી આ કેસમાં ગુનેગારને મોતની સજા આપવામાં આવી હતી. માઈકલ ડ્વેન સ્મિથને (ઉ.વ-41) મેકએલેસ્ટરની જેલમાં એક મોતનું ઈન્જેક્શન અપાયું હતુ. આ કેસમાં મૃતકના ભારતીય પરિવારે દોષિત સ્મિથને માફ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
2002માં હત્યા કરી હતી
માઈકલ ડ્વેને 24 વર્ષીય શરદ પુલ્લુરુ અને 40 વર્ષીય જેનેટ મૂરની હત્યા કરી હતી. સ્મિથે 22 ફેબ્રુઆરી, 2002ના રોજ બે અલગ-અલગ ઘટનાઓમાં શરદ અને મૂરની હત્યા કરી હતી. કોર્ટે આરોપીને દોષિત માનીને ફાંસીની સજા આપી હતી. ઓક્લાહોમાના એટર્ની જનરલ જેન્ટનર ડ્રમન્ડે સ્મિથની સજા બાદ એક નિવેદન બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે તેમને આશા છે કે આ સજા મૂર અને શરદના પરિવારને થોડી શાંતિ આપશે.
શરદ અમેરિકા ભણવા ગયો
એટર્ની જનરલ જેન્ટનર ડ્રમન્ડે કહ્યું કે હું ઇચ્છું છું કે ઓક્લાહોમાના લોકોને ખબર પડે કે માઈકલ સ્મિથે જે બે લોકોની હત્યા કરી છે તે ખૂબ જ શિષ્ટ અને સારા લોકો હતા. તેમને નસીબનો સાથ ન મળ્યો. શરદ એક પ્રતિભાશાળી યુવાન હતો જે અમેરિકા ભણવા આવ્યો હતો, તે તેના પરિવારના ઘણા લોકો માટે પ્રેરણારૂપ હતો. બંનેની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ ખોટા સમયે ખોટી જગ્યાએ હતા. હું આભારી છું કે તેમને ન્યાય મળ્યો.
અમે આરોપીને માફ કરી શકતા નથી
આ પહેલા ન્યૂઝ ચેનલે શરદના ભાઈ હરીશ પુલ્લુરુના નિવેદનને ટાંક્યું હતું. હરીશે સ્મિથને માફ કરવાનો ઇનકાર કર્યો હતો. હરીશે કહ્યું હતું કે તેના માતા-પિતા દરરોજ જે પીડામાંથી પસાર થાય છે તે તેણે જોયું છે. શરદ પ્રેમાળ પુત્ર, ભાઈ અને કાકા હતા. તે અમારા પરિવારનો જીવ હતો. તેની હત્યા પછી અમે દરરોજ મરી રહ્યાં છીએ. અમે સ્મિથને માફ કરી શકતા નથી.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના છે...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે | 2024-05-05 20:31:57
અમદાવાદઃ ભાજપને મત આપજો, કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હરિભક્તોને અપીલ- Gujarat Post | 2024-05-05 17:10:36
આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ, કેનેડાએ ફરી ભારત પર આરોપ લગાવતા એસ જયશંકર લાલઘૂમ | 2024-05-05 11:46:35
રાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ આવ્યું સામે- Gujarat Post | 2024-05-05 11:31:45
શેરડીના રસમાં ઝેર...વડોદરામાં આખો પરિવાર વિખેરાયો, ઘરના સભ્યએ પિતા, પત્ની, પુત્રને ઝેર આપીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો | 2024-05-05 09:04:11
ફરીથી ભારત સરકાર પર આરોપ, કેનેડામાં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ | 2024-05-04 09:03:26
બ્રાઝિલમાં સૌથી વધુ વરસાદ બાદ ભૂસ્ખલન, 37 લોકોનાં મોત થઇ ગયા | 2024-05-04 08:36:54
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
પૂંછમાં આતંકવાદીઓએ એરફોર્સના વાહનો પર કર્યો અંધાધૂંધ ગોળીબાર, એક જવાન શહીદ, ચાર ઘાયલ | 2024-05-05 08:42:49
Part- 1 ગુજરાતમાં GST ની બોગસ પેઢીઓનો રાફડો ફાટ્યો, કૌભાંડોમાં દેશમાં ગુજરાત નંબર-2 પર આવી ગયું, ભાજપના માનીતા અધિકારીઓને કારણે આ શક્ય બન્યું !! | 2024-05-04 20:55:37