Thu,09 May 2024,4:12 am
Print
header

સાવરકુંડલામાં માતા-પુત્રીનો આપઘાત, કારણ જાણીને તમે હચમચી જશો

આ ઘટનાને પગલે ધારાસભ્ય પ્રતાપ દૂધાત દોડી આવ્યાં

અમરેલીઃ જિલ્લાલના સાવરકુંડલા પથંકમાં હૈયુ હચમચાવતી એક ઘટના બની છે. સાવરકુંડલાના ધાર ગામે ખેડૂત પરિવારના માતા-પુત્રીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોટી દીકરીનો પ્રસંગ નજીક હોય અને આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. 21 વર્ષીય ભૂમિકાબેન ખિસરિયાએ માતા હંસાબેન કાંતિભાઈ ખીસરીયા(ઉં.વ.52) સાથે આપઘાત કરી લીધો છે. 

પોતાના ઘરમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સ્થળે દોડી આવી હતી. માતા-પુત્રીના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડાયા છે. સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દૂધાત સહિતના લોકો પણ સ્થળ પર પહોંચ્યા છે. પોલીસે માતા-પુત્રીએ ખરેખર દીકરીના લગ્નની ચિંતામાં આ પગલું ભર્યુ છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch