Fri,03 May 2024,2:34 am
Print
header

પાકિસ્તાનઃ નવાઝ શરીફ ચૂંટણી મેદાનમાં ઉતર્યા, જાણો કઈ સીટ પરથી ચૂંટણી લડશે ?

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પોતાના દેશમાં પાછા આવતાની સાથે જ સક્રિય થઈ ગયા છે. તેમના નિવેદનો પછી તેઓ હવે તેમના નોમિનેશનના સમાચારોને કારણે હેડલાઇન્સમાં છે. તેઓ ઉમેદવારી નોંધાવી શકે છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ખૈબર-પખ્તુનખ્વાના માનસેહરા વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે.

શરીફ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે તે તેમની પાર્ટીનો ગઢ છે.

આ સંદર્ભમાં તેમના જમાઈ કેપ્ટન મુહમ્મદ સફદરે જણાવ્યું કે માનસેહરા-કમ-તોરઘર મતવિસ્તાર માટે આજે તેમનું નામાંકન પત્ર રજૂ કરશે. સામાન્ય ચૂંટણીમાં પોતાની પાર્ટીનું નેતૃત્વ કરવા 4 વર્ષના સ્વ-નિવાસ પછી ઓક્ટોબરમાં તેઓ પાકિસ્તાન પરત ફર્યાં હતા. માનસેરા હજારા વિભાગનો એક ભાગ છે, જે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)નો ગઢ માનવામાં આવે છે.

માનસેરા સિવાય શરીફ પોતાના ગૃહ ક્ષેત્ર લાહોરથી પણ ચૂંટણી લડશે. નવાઝ શરીફ એકમાત્ર એવા પાકિસ્તાની નેતા છે જેમને રેકોર્ડ ત્રણ વખત સત્તાપલટાનો અનુભવ કર્યો છે. એવેનફિલ્ડ અને અલ અઝીઝિયા કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા શરીફ આગામી ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે રેકોર્ડ ચોથી ટર્મ માટે નજર રાખી રહ્યાં છે. જો કે શરીફને મોટી અડચણનો સામનો કરવો પડી શકે છે.

જ્યારે ભારતમાં અટલજીની સરકાર હતી ત્યારે નવાઝ પાકિસ્તાનના પીએમ હતા

નવાઝ શરીફે લાંબા સમય સુધી પાકિસ્તાનની કમાન સંભાળી છે.  ભારતમાં અટલ બિહારી વાજપેઇની સરકારના સમયમાં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો થોડા સારા થયા હતા. અટલજી બસ દ્વારા લાહોર ગયા હતા અને નવાઝ શરીફે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જો કે થોડા સમય બાદ નવાઝના કાર્યકાળમાં કારગિલ યુદ્ધ થયું હતું. આ રીતે ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

22 ડિસેમ્બર સુધી નામાંકન ભરી શકાશે

પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે નામાંકન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યાં અનુસાર, તમે 22 ડિસેમ્બર સુધી તમારા ઉમેદવારી પત્રો સબમિટ કરી શકો છો. ECP ઉમેદવારોની પ્રાથમિક યાદી 23 ડિસેમ્બરે જાહેર કરશે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 24 થી 30 ડિસેમ્બર દરમિયાન થશે.

ઈમરાન ખાન ત્રણ સીટ પરથી ચૂંટણી લડશે

પાકિસ્તાનમાં ચૂંટણી માટે નોમિનેશન શરૂ થઈ ગયું છે.આગામી વર્ષે 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પણ ચૂંટણી લડશે. તેમની પાર્ટીએ જાહેરાત કરી છે કે ઈમરાન ખાન 3 સીટો પરથી ચૂંટણી લડશે. જો કે, ઈમરાન જ્યાંથી ચૂંટણી લડશે તેમના નામ હજુ જાહેર કરવામાં આવ્યાં નથી. નવા સીમાંકન બાદ સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં 336 બેઠકો હશે, જેમાં 266 સામાન્ય બેઠકો, 60 બેઠકો મહિલાઓ માટે અને 10 બેઠકો બિન-મુસ્લિમ માટે અનામત રહેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch