ઇસ્લામાબાદઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ફરી એક વખત પાકિસ્તાન તરફી વાત કરી છે. કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો ગાઝા અને પેલેસ્ટાઈન જેવી સ્થિતિ થશે. નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે આપણે આપણા મિત્રો બદલી શકીએ છીએ, પરંતુ પાડોશી નહીં. જો આપણે આપણા પડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ રહીશું તો આપણે બંને પ્રગતિ કરીશું. પીએમ મોદીએ એમ કહ્યું હતું કે યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી અને આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ પરંતુ વાતચીત ક્યાં છે ?
#WATCH | National Conference MP Farooq Abdullah says, "Atal Bihari Vajpayee had said that we can change our friends but not our neighbours. If we remain friendly with our neighbours, both will progress. PM Modi also said that war is not an option now and the matters should be… pic.twitter.com/EcPx9B70jJ
— ANI (@ANI) December 26, 2023
પાકિસ્તાન સાથે વાતચીતની હિમાયત કરી
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે અને તેઓ કહી રહ્યાં છે કે અમે ભારત સાથે વાત કરવા તૈયાર છીએ, પરંતુ આપણે વાત કરવા તૈયાર નથી તેનું કારણ શું છે ? જો આપણે વાતચીત દ્વારા કોઈ ઉકેલ નહીં શોધીએ, તો આપણે ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ ભવિષ્યનો સામનો કરીશું.
અલ્લાહ જ જાણે છે કે આપણું શું થશે: અબ્દુલ્લા
ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની હિમાયત કરતા અબ્દુલ્લાએ કહ્યું કે જો આપણે આપણા પાડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ રહીશું તો બંને પ્રગતિ કરશે. આપણે દુશ્મનાવટમાં રહીશું તો આગળ વધી શકશું નહીં. જો આપણે વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલીશું નહીં, તો મને તમને જણાવતા દુઃખ થાય છે કે આપણે આજે ગાઝા અને પેલેસ્ટાઈનમાં જે સ્થિતિ થઈ રહી છે તેનો સામનો કરવો પડશે. જ્યાં ઈઝરાયેલ બોમ્બમારો કરી રહ્યું છે. કંઈ પણ થઇ શકે છે. અલ્લાહ જ જાણે છે કે આપણું શું થશે.
કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધી
ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મોટા નેતા છે અને તેઓ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.તેઓ હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતના પક્ષમાં રહ્યા છે. અબ્દુલ્લાનું આ નિવેદન તાજેતરમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયા બાદ સામે આવ્યું છે. તાજેતરમાં જ આતંકવાદી અથડામણમાં સેનાના જવાનો શહીદ થયા છે. નોંધનિય છે કે જમ્મુ-કાશ્મીર કલમ 370 હટાવ્યાં બાદ આ નેતાઓ હવે પાકિસ્તાનની તરફેણ કરી રહ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ACB Trap- આ નાયબ કાર્યપાલ ઇજનેર રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા | 2024-05-02 20:48:32
પિતા-પુત્રીનું મોત... સાબરકાંઠામાં ઓનલાઇન મંગાવેલું પાર્સલ ખોલતા જ થયો જોરદાર વિસ્ફોટ | 2024-05-02 17:25:08
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
તમારા બાળકો માટે જોન્સન એન્ડ જોન્સન ટેલ્કમ પાઉડર ખતરો છે, કંપનીએ કરોડો ડોલરનું વળતર ચૂકવવું પડશે | 2024-05-02 11:38:42
ગેંગસ્ટર Goldy Brar ની હત્યાનો અહેવાલ ખોટો સાબિત થયો, અમેરિકન પોલીસે કહી આ વાત | 2024-05-02 09:27:33
સિદ્ધુ મૂસેવાલાના હત્યારા ગોલ્ડી બ્રાર(Goldy Brar)ની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરાઇ હોવાનો અહેવાલ | 2024-05-01 19:36:07
ફરીથી ઇન્ડોનેશિયામાં રુઆંગ (ruang) જ્વાળામુખી ફાટ્યો...હજારો લોકોનું સ્થળાંતર કરાયું | 2024-05-01 09:54:03
અમેરિકન મીડિયાનો અહેવાલ...ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીય અધિકારીઓની ભૂમિકા હોવાનો દાવો | 2024-04-30 18:15:19
સૌથી મોટા સમાચાર, અભિનેતા સલમાન ખાનના ઘર પરના ફાયરિંગ કેસના આરોપી Anuj Thapan એ કરી લીધી આત્મહત્યા | 2024-05-01 19:57:03