મોરબીના પીપળીયા ગામના કાંતિલાલ મુછડિયાએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓ જીવતા જીવ સમાધિ લેવા જઇ રહ્યાં છે, આગામી 28 નવેમ્બરના રોજ સમાધિ લેવાનું જાહેર કરી દીધું હતુ, તેમને સોશિયલ મીડિયા માધ્યમથી તમામ લોકોને આ વાતની જાણ કરી હતી, તેમનું કહેવું હતુ કે 450 વર્ષ પહેલા થઇ ગયેલા ચમત્કારિક નવઘણ દાદાના આદેશથી હું સમાધિ લઇ રહ્યો છે, તેમનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, પરંતુ હવે આ મામલે તેમને નવો ખુલાસો કર્યો છે કે તેઓ સમાધિ લેશે નહીં
કાંતિલાલની જાહેરાત બાદ મોરબી પોલીસ અને કલેક્ટર ઓફિસની તેમના પર નજર હતી, મોરબી અધિક કલેક્ટર કેતન જોષી અને એસપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી, મામલતદાર સહિતના અધિકારીઓ કાંતિલાલના ઘરે પહોંચ્યાં હતા, અને સમાધિ ન લેવા તેમને સમજાવ્યાં હતા, બાદમાં કાંતિલાલે સમાધિનો નિર્ણય રદ્દ કરતા જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
જો કે કાંતિલાલે કહ્યું છે કે તેઓ જમીનમાં સમાધિ નથી લેવાના પરંતુ ધ્યાનમાં બેસી જશે અને તેમના પ્રાણ જશે તો તેમના ગુરૂનો આદેશ સાચો હશે, પ્રાણ નહીં જાય તો તેઓ ખોટા પડશે, તેમને કાયદાનું ઉલ્લંઘન નહીં કરવાની તૈયારી બતાવી છે અને કહ્યું છે કે જમીનમાં સમાધિ નહીં લઉં.
ગુજરાતમાં ચૂંટણીઓમાં પણ ગુંડારાજ....મહિસાગરમાં ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો આવ્યો સામે | 2024-05-08 15:24:38
પહેલી જ વખત વડાપ્રધાન મોદીનો રાહુલ પર આવો પ્રહાર, અદાણી-અંબાણી પાસેથી તમે કેટલા રૂપિયા લઇને બોલવાનું બંધ કર્યું ? | 2024-05-08 14:20:40
મોદીની એટલી જ ચિંતા હતી તો પહેલા જ રૂપાલાએ રાજકોટ બેઠક કેમ ન છોડી ? હવે કહ્યું મારા કારણે ભાજપને નુકસાન, ક્ષત્રિયોની ફરી માફી માંગી | 2024-05-08 11:49:23
જો ક્ષત્રિય સમાજનો 7 બેઠકો પર ભાજપની હારનો દાવો સાચો પડશે, તો આ ભાજપની પડતીની શરૂઆત હશે ? | 2024-05-08 09:51:57
જે લોકોએ રસી લીધી છે તેમનું શું ? કોરોના રસીની આડઅસરના ખુલાસા પછી એસ્ટ્રાઝેનેકાએ દુનિયાભરમાંથી રસી પાછી મંગાવી | 2024-05-08 09:37:03
રાજ્યના આ 3 ગામોમાં એક પણ વોટ ન પડ્યો, લોકોએ લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર | 2024-05-08 08:45:06
Breaking News: ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં સરેરાશ 59.51 ટકા મતદાન,ચૂંટણીપંચે કરી આ મહત્વની વાત | 2024-05-07 19:30:11