Sat,11 May 2024,8:07 am
Print
header

Big News-વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી, જાણો શું લખ્યું- Gujarat Post

ફાઇલ ફોટો 

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ટેસ્ટ કેપ્ટનશીપ પદેથી વિરાટ કોહલી હટી ગયો છે તેને કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે, પહેલા વિરાટે વન ડે માંથી કેપ્ટનશીપ છોડવી પડી હતી, ટી-20 માંથી પણ તે હટી ગયો હતો. હવે ટેસ્ટ મેચમાંથી પણ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.

કોહલીએ ટ્વીટ કરતા લખ્યું છે કે 7 વર્ષમાં તેને મહેનત કરીને પોતાનાથી થાય એટલું બેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, તેને ઇમાનદારીથી પોતાને મળેલી જવાબદારી નિભાવી છે, બીસીસીઆઇ અને પોતાના સાથી ખેલાડીઓનો આભાર માન્યો છે. તેે ખાસ કરીને રવિશાસ્ત્રી અને ધોનીનો આભાર માન્યો છે.

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં હાર પછી વિરાટ સામે ચાહકોમાં પણ રોષ હતો, છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ચાહકો વિરાટના પ્રદર્શનથી નારાજ હતા, બીજી તરફ બીસીસીઆઇના કેટલાક સભ્યોમાં પણ વિરાટની સામે નારાજગી દેખાઇ રહી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch