ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું હિન્દુત્વ પરનું નિવેદન ચર્ચામાં છે. નીતિન પટેલના આ નિવેદનનું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સમર્થન કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હિન્દુ બહુમતિ (hinduism) માં છે ત્યા સુધી બધુ બરાબર છે અને જો હિન્દુઓ લઘુમતીમાં જતા રહેશે તો અરાજકતા હશે, કોર્ટ કે કાયદો કે સંસદ કંઇ જ નહીં હોય અને હવે તેમના સમર્થનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવ્યાં છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે નીતિન પટેલના નિવેદનનું સમર્થન આપતા કહ્યું આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને નીતિન પટેલ બોલ્યા છે. નીતિન પટેલે ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. અગમચેતીના ભાગરૂપે તેમને આ વાત કરી છે. હું નીતિન પટેલની વાત સાથે સહમત છું. આજે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી.આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યોગ્ય ગણાવ્યું છે.
ગાંધીનગરમાં પ્રથમ ભારત માતાના મંદિરનું નિર્માણ કરાયું છે. ભારત માતાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મસભાનું પણ આયોજન થયું હતું.અહી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, VHP અને RSS ના ટોચના નેતાઓ હાજર રહ્યાં હતા. જેમાં નીતિન પટેલનું એક નિવેદન ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું કે દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે. જો હિન્દુઓ લઘુમતી થઇ ગયા તો ન તો કોઇ કોર્ટ કચેરી હશે ન કોઇ કાયદો.બીજી તરફ વિરોધીઓ નીતિન પટેલના નિવેદનની આગામી ચૂંટણીઓ સાથે સરખાવીને કહી રહ્યાં છે કે ભાજપને ચૂંટણી વખતે જ હિન્દુત્વ યાદ આવે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ટાયર ફાટ્યું, 150 મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયો | 2024-05-10 21:22:21
ભાજપમાં ભડકો, હવે માણવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા સામે કાર્યવાહીની કરી માંગ | 2024-05-10 20:47:30
રૂ.15 કરોડ રોકડા,1 કિલો સોનું જપ્ત, રૂ. 200 કરોડથી વધુના હવાલા રેકટનો CID ક્રાઇમે કર્યો પર્દાફાશ, આંગડિયા પેઢીઓની તપાસમાં ED-IT જોડાઇ ગયા | 2024-05-10 20:01:00
મોદીના પરિવારમાં બળવાની શરૂઆત અમરેલીથી ! સંઘાણી બાદ હવે સાંસદ નારણ કાછડિયાએ કહ્યું અમારી ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો છે | 2024-05-10 19:00:50
39 દિવસ પછી અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાંથી આવ્યાં બહાર, કહ્યું સરમુખત્યારોથી દેશને બચાવવાનો છે | 2024-05-10 15:39:39
IT raid news: ઐશ્વર્યા ગ્રુપ પરના દરોડામાં રૂ.500 કરોડના બેનામી વ્યવહારો ખુલ્યાં, ટેક્સચોરીનો આંકડો હજુ વધશે | 2024-05-10 11:28:52
શું ભાજપ અને પાટીલ જયેશ રાદડિયા સામે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરી શકશે ? રાદડિયાએ IFFCO ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ઘરભેગા કરી દીધા | 2024-05-09 21:39:33
IFFCO ના ડિરેકટરની ચૂંટણીમાં અમિત શાહના નજીકના બિપીન પટેલની હાર, જયેશ રાદડિયાએ ભાજપના સાથ વગર જ જોરદાર જીત મેળવી | 2024-05-09 18:13:10