બાલિશ બુદ્ધિને કોણ સમજાવે, રાહુલ પર મોદીનો કટાક્ષ
રાહુલે નિષ્ફળતાનો વર્લ્ડરેકોર્ડ બનાવ્યોઃ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવને લઈને લોકસભાને સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિના ભાષણ માટે આભાર વ્યક્ત કરવા માટે ગૃહમાં હાજર થયા છે. મોદીએ કહ્યું, જેઓ પહેલીવાર સાંસદ તરીકે અમારી વચ્ચે આવ્યાં છે, તેમાંથી કેટલાકે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમનું વર્તન અનુભવી સાંસદ જેવું હતું. તેમણે ગૃહનું ગૌરવ વધાર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે સફળ ચૂંટણી કરીને દેશે દુનિયાને બતાવી દીધું કે આ સૌથી મોટી ચૂંટણી હતી.
વડાપ્રધાને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે હું કેટલાક લોકોનું દર્દ સમજી શકું છું કારણ કે સતત જુઠ્ઠાણા ફેલાવવા છતાં તેમની હાર થઈ હતી. દેશની જનતાએ અમને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. જનતાએ ભારતીય જનતા પાર્ટીનો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો. જનતાએ જોયું કે અમારું એકમાત્ર લક્ષ્ય ભારત પ્રથમ છે. તેમણે કહ્યું, અમારું એકમાત્ર લક્ષ્ય ઈન્ડિયા ફર્સ્ટ છે. અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર કામ કરે છે. આ વિચારને સર્વોપરી રાખીને અમે દેશની સેવા કરવાનો સંકલ્પ લીધો છે.
પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે ભારતના લોકો કેટલા પરિપક્વ છે. તેનું પરિણામ એ છે કે આજે ત્રીજી વખત હું તમારી સમક્ષ નમ્રતાપૂર્વક તમારી સેવા કરવા ઉભો છું. તમે અમારી નીતિઓ જોઈ છે. અમારો ઈરાદો જોવા મળ્યો છે, દેશની જનતાએ તેના પર વિશ્વાસ કર્યો છે. જ્યારે દેશનો વિકાસ થાય છે ત્યારે કરોડો લોકોનો સંકલ્પ પૂરો થાય છે.
જ્યારે દેશનો વિકાસ થાય છે ત્યારે આવનારી પેઢીઓ માટે તેમના સપના પૂરા કરવા માટે મજબૂત પાયો નાખવામાં આવે છે. આઝાદી પછી મારા દેશનો સામાન્ય નાગરિક આ વસ્તુઓ માટે તલપાપડ છે. જ્યારે ભારતનો વિકાસ થાય છે, ત્યારે ગામડાઓ અને શહેરોની સ્થિતિમાં પણ ઘણો સુધારો થાય છે. વિશ્વની વિકાસ યાત્રામાં ભારતના ગામડાઓ પણ યોગદાન આપશે. મોદીએ અગ્નિવીર પરના રાહુલના નિવેદન પર કહ્યું કે આ લોકો કયા દેશના દુશ્મનોનો ફાયદો કરાવવા માંગે છે તે જાણવું જોઇએ, મારા જવાનોને સેનામાં જતા અટકાવવાનું આ એક ષડયંત્ર છે, તેમને હિન્દુત્વ મુદ્દે પણ રાહુલની ઝાટકણી કાઢીને કહ્યું હતુ કે હિન્દુઓને હિંસક કહેવા દેશની કરોડો જનતાનું અપમાન છે.
#WATCH | Prime Minister Narendra Modi says, "...There was a period of scams when it was shamelessly accepted publicly that if 1 rupee is sent from Delhi, only 15 paise reaches. In 1 rupee, there is a scam of 85 paise. This world of scams had drowned the country in the depths of… pic.twitter.com/qyAnoKuOsV
— ANI (@ANI) July 2, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49
કોંગ્રેસ નેતા પૂંજા વંશની પોલીસને ખુલ્લી ચીમકી, ખાખી ઉતારીને ભાજપમાંથી ચૂંટણી લડવા આવી જાજો | 2025-02-13 12:34:51
દિલ્હીમાં AAP સાફ, 48 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો, કેજરીવાલની પાર્ટીને માત્ર 22 સીટ | 2025-02-09 11:07:17
મોદીએ કહ્યું અમે ગરીબો માટે સૌથી વધુ કામ કર્યું, કોંગ્રેસે ફ્રીડમ ઓફ સ્પીચને કચડી નાખી, સ્વ.દેવાનંદની ફિલ્મોની પણ કરી વાત | 2025-02-06 21:15:25
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44