દુબઈ: કુવૈતી સરકારે 45 ભારતીયોના અને ત્રણ ફિલિપિનોના મૃતદેહોની ઓળખ કરી છે જેમણે વિદેશી કામદારોના રહેઠાણની ઇમારતમાં આગમાં જીવ ગુમાવ્યાં હતા. એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી છે. કુવૈતે આ ઘટનાની તપાસ અને મૃતકોના મૃતદેહ મોકલવામાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. દક્ષિણના શહેર મંગફમાં બુધવારે સાત માળની ઈમારતમાં આગ લાગવાથી 49 વિદેશી કામદારોના મોત થયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય કામદારો રહેતા હતા.
મૃતકોમાં 3 ઉત્તર પ્રદેશના, 24 કેરળના, 7 તમિલનાડુના અને 3 આંધ્રપ્રદેશના હતા. ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન, C-130J, શુક્રવારે સવારે 45 મૃત ભારતીયોના મૃતદેહોને લઈને કોચી માટે ઉડાન ભરી છે. ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી છે. દૂતાવાસે કહ્યું કે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધનસિંહ પણ આ જ વિમાન દ્વારા પરત ફરી રહ્યાં છે. કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યું પામેલા 45 ભારતીયોના મૃતદેહને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન ટૂંક સમયમાં પહોંચશે. આ સંદર્ભે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.
યુપીના મૃતકોની ઓળખ વારાણસીના માધવ સિંહ, ગોરખપુરના જયરામ ગુપ્તા અને અંગદ ગુપ્તા તરીકે થઈ છે. આંધ્રપ્રદેશના મૃતકોમાં શ્રીકાકુલમ જિલ્લાના ટી લોકાનંદમ, એમ સત્યનારાયણ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એમ એશ્વરુડુની ઓળખ કરવામાં આવી છે.
આ કારણે આગ લાગી હતી
અંગ્રેજી દૈનિક અખબાર 'અરબ ટાઈમ્સ'ના અહેવાલ મુજબ નાયબ વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ-યુસેફ અલ-સબાહે જણાવ્યું કે અધિકારીઓએ 48 મૃતદેહોની ઓળખ કરી છે, જેમાં 45 ભારતીયો અને ત્રણ ફિલિપિનો છે. નાયબ વડાપ્રધાને કહ્યું કે બાકીના એક મૃતદેહને ઓળખવાના પ્રયાસો હજુ ચાલુ છે. કુવૈતના ફાયર ફોર્સે જણાવ્યું છે કે આગ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.
રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈતમાં
આ ઘટનામાં ઘાયલ ભારતીયોને અપાયેલી સહાયની સમીક્ષા કરવા અને મૃતકોના મૃતદેહ વહેલા પરત મળે તે સુનિશ્ચિત કરવા કુવૈત પહોંચેલા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે મુલાકાત કરી છે. સિંહ આ ઘટનામાં ઘાયલ થયેલા કેટલાક ભારતીયોને પણ મળ્યા હતા અને તેમને ભારત સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેઓ નાયબ વડા પ્રધાન શેખ ફહદને મળ્યાં હતા અને તેમને તમામ જરૂરી સહાય અને સમર્થન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
ધરપકડની પ્રક્રિયા શરૂ
નાયબ વડાપ્રધાન શેખ ફહાદે જણાવ્યું કે કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે મૃતકોના પરિવારોને નાણાકીય સહાયનું વિતરણ કરવા સૂચનાઓ જારી કરી છે, જોકે તેમણે વળતરની રકમનો ઉલ્લેખ કર્યો નથી. એક કુવૈતી નાગરિક અને કેટલાક વિદેશીઓની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. શેખ ફહાદે ચેતવણી આપી હતી કે બિલ્ડિંગ બાંધકામ સંબંધિત કોઈપણ ઉલ્લંઘનને કોઈપણ પૂર્વ ચેતવણી વિના સજા કરવામાં આવશે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત બિલ્ડિંગના માલિકને કસ્ટડીમાં રાખવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત | 2026-02-17 11:27:09
અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી | 2026-02-15 09:13:13
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49