Sat,11 May 2024,9:01 am
Print
header

સિનિયર IAS અધિકારીની બદલી, ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની તમિલનાડુમાં બદલી

ગાંધીનગરઃ કોરોના કાળમાં ચર્ચાસ્પદ રહેલા સિનિયર આઇએએસ અધિકારી અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિ (jayanti ravi) ને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. તેમની બદલી થોડા સમય પહેલા જ થવાની હતી પરંતુ કોરોનાની બીજી લહેરમાં અધિકારીઓની બદલીઓ રોકી દેવામાં આવી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ 1991ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. આરોગ્ય અગ્ર સચિવ પહેલા તેઓ રાજ્યના હેલ્થ કમિશનર તરીકે સેવા આપી ચુક્યાં છે. તેમણે સતત બે વર્ષ રાજ્યમાં ગ્રામીણ સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશનનું નેતૃત્વ કર્યું હતુ. તે હાલમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ પદે જવાબદારી સંભાળી રહ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch