નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ વતનમાં પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિશ્વ વિજેતા ટીમ માટે વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી જેથી કરીને રોહિત શર્માની સેના અને મીડિયાકર્મીઓ સ્વદેશ પરત ફરી શકે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) આજે સવારે ભારત પહોંચી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ, તેનો સપોર્ટ સ્ટાફ, બીસીસીઆઈના કેટલાક અધિકારીઓ અને ખેલાડીઓના પરિવારો હરિકેન બેરીલને કારણે બાર્બાડોસમાં ફસાયેલા હતા. ટીમે શનિવારે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી ચક્રવાતને કારણે ટીમ ત્યાં ફસાઇ ગઇ હતી.
ટીમ ઈન્ડિયા પરત ફરી
ફાઈનલ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ નિયમિત ફ્લાઈટ દ્વારા ભારત પરત આવવાની હતી, પરંતુ ચક્રવાતને કારણે બાર્બાડોસમાં સ્થિતિ ખરાબ હતી. તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને ખેલાડીઓ અને સ્ટાફ તેમની હોટલોમાં ફસાયેલા હતા. જે બાદ સરકાર દ્વારા એક વિશેષ વિમાન બાર્બાડોસ મોકલવામાં આવ્યું હતું.
T20 WC winning Team India receives warm welcome at Delhi airport, reaches ITC Maurya
— ANI Digital (@ani_digital) July 4, 2024
Read @ANI Story | https://t.co/2TCN3V9LoD#TeamIndia #ICCT20WorldCup #cricket #MeninBlue #DelhiAirport pic.twitter.com/CkTcVmeiyK
દિલ્હી એરપોર્ટ પર ચાહકો એકઠા થયા હતા
ભારતીય ટીમના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટની બહાર ચાહકોનો જમાવડો જોવા મળ્યો હતો. રોહિત શર્માની ટીમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યાં હતા. તેમની 17 વર્ષની રાહનો આજે અંત આવ્યો. ભારતે આ પહેલા 2007માં તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
#WATCH | Delhi: A supporter of the Men's Indian Cricket Team, Shubham says "I have drawn these two sketches of Virat Kohli and Rohit Sharma. I came here at the airport around 4:30 AM just to have a glimpse of Team India with the trophy. We are all really happy..."
— ANI (@ANI) July 4, 2024
Team India has… pic.twitter.com/VkYIVjnnW0
ભારતીય ટીમ સવારે 11 વાગ્યે પીએમને મળશે
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાના જણાવ્યાં અનુસાર ભારતીય ટીમ 11 વાગે વડાપ્રધાનને મળશે. આ પછી રોહિત શર્મા અને કંપની વિશેષ વિમાન દ્વારા મુંબઈ જવા રવાના થશે. તેમના સન્માનમાં અહીં વિજય પરેડનું આયોજન કરવામાં આવશે. ભારતીય ટીમને વાનખેડે સ્ટેડિયમમાં BCCI દ્વારા જાહેર કરાયેલ 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ આપવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો | 2025-01-12 10:32:29
ભાજપના નેતાના ઘરે ગયેલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ચોંકી ગયા, 4 મગર મળી આવ્યાં | 2025-01-11 11:53:54
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51