ધોરાજીઃ ઝારખંડના બોકારો બાદ ગુજરાતમાં પણ મોહરમની ઉજવણી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં રસુલપરા વિસ્તારમાંથી તાજીયાનું ઝુલુસ પસાર થતું હતું. ત્યારે 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. તાજીયાને ઉપાડતી વખતે તે વીજ વાયરને અડી જતાં શોર્ટ સર્કિટ થઈ હતી અને 15 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાંથી 2 લોકોનાં મોત થઇ ગયા છે. ચાર વ્યક્તિઓની હાલત ગંભીર છે.
ઝારખંડના બોકારોમાં સવારે મોહરમનું જુલુસ નીકળતી વખતે મોટો અકસ્માત સર્જાયો હતો.હાઇ ટેન્શન લાઇનની ચપેટમાં આવી જતાં કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. અહીં બેરમો વિસ્તારના સવારે કેટલાક લોકો મોહરમના તાજિયા લઈ રહ્યાં હતા ત્યારે 11000 વોલ્ટના વાયરની અડફેટે આવી ગયા હતા.જે બાદ વીજ કરંટ લાગવાથી 4 લોકોનાં મોત થયા હતા, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે.તાજિયાને લઇ જતી વખતે ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બાદ મૃતકોના પરિવારજનો આઘાતમાં ચાલ્યાં ગયા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
કેનેડામાં પોલીસ ચોરને પકડવા જતા થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટનાસ્થળે મોત | 2024-05-03 17:37:06
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોના મોત થયા | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, MLCના પરિવારના 4 સભ્યો સહિત 6 લોકોના મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12