બોલિવૂડના પ્રખ્યાત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બંને ફિલ્મ શેરશાહમાં જોવા મળ્યાં હતા.દર્શકોને તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી એટલી પસંદ આવી કે તેઓ તેમને વાસ્તવિક જીવનના કપલ તરીકે જોવા માંગતા હતા. કદાચ ભાગ્યને પણ આ વાત મંજૂર હતી. આ ફિલ્મના સેટ પર રોમાન્સ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આજે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. બંનેએ ગયા વર્ષે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા અને હવે તેઓ લગ્નના એક વર્ષની ઉજવણી કરી રહ્યાં છે.