ટોલનાકા નજીક કેટલાક લોકો પૈસા લઈને ખાનગી રોડ પરથી રાત્રે ભારે વાહનોને પસાર કરાવતાં હતા
અત્યાર સુધીમાં સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન
કચ્છઃ ગુજરાતમાં જાણે કે નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ જ લોકો સામે આવી રહી છે. રાજ્યમાં થોડા દિવસો અગાઉ જ વાંકાનેર-મોરબી હાઈવે પર નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવ્યું હતું. હવે વધુ એક નકલી ટોલાનાકાનો પર્દાફાશ થયો છે. આ માહિતી સામે આવતા જ તંત્ર દોડતું થયું છે.
કચ્છના ભૂજ-નલિયા રોડ પર આવેલા ટોલનાકાની નજીક એક ખાનગી જમીન પર ખાનગી રોડ બનાવી દેવાયો હતો, સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, આ સમગ્ર નકલી ટોલ પ્લાઝાની રમત રાજકીય નેતાઓના ઈશારે ચાલી રહી છે.
ભૂજ-નલિયા હાઇવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ખાસ કરીને અહીંથી પવનચક્કીની મોટી ટ્રકો, મીઠાની ટ્રકો સહિતના અનેક વાહનો આ રોડ પરથી પસાર થાય છે. અહીં કેટલાક લોકો અસલી ટોલ પ્લાઝાથી 200 મીટર દૂર ઉભા રહેતા હતા, જે લોકો ત્યાંથી પસાર થતા વાહનચાલકોને નકલી ટોલ પ્લાઝા પરથી જવા માટે કહેતા હતા. આવી જ રીતે આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે. આ મામલે જિલ્લા પ્રશાસન તરફથી તપાસના આદેશ અપાયા છે.
વહીવટીતંત્રનું કહેવું છે કે આ મામલાની તપાસ કરાશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે. ગુજરાતમાં ગત વર્ષે ડિસેમ્બરમાં વાંકાનેર-મોરબી હાઇવે પર નકલી ટોલનાકું પકડાયું હતું. પોલીસે પણ સરકારની સૂચના બાદ આ કેસમાં ખૂબ જ કડક કાર્યવાહી કરી હતી. આ કૌભાંડીઓએ કરોડો રૂપિયા ઘરભેગા કરી નાખ્યાં બાદ તંત્ર જાગ્યું હતુ અને કેટલાકની ધરપકડ કરાઇ હતી.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12