શ્રીલંકાઃ એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણય ખૂબ જ ખરાબ સાબિત થયો. આ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને તેની 8મી એશિયા કપ ટ્રોફી જીતવા માટે માત્ર 51 રનની જરૂર હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજે તરખાટ મચાવ્યો હતો અને 6 વિકેટ લીધી હતી.
ભારતને 8મું એશિયા કપ ટાઇટલ મળ્યું છે
ટીમ ઈન્ડિયાએ 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે સાતમી વખત ODI એશિયા કપ જીત્યો છે અને એકવાર T-20 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું.
મોહમ્મદ સિરાજે ફાઈનલ મેચમાં 6 વિકેટ ઝડપી હતી. દરમિયાન તેણે માત્ર 21 રન આપ્યાં હતા. સિરાજની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનમાં ઓલઆઉટ કરી દીધું. સિરાજ ઉપરાંત હાર્દિક પંડ્યાએ પણ ત્રણ અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી.
શ્રીલંકન ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યાં હતા. દુષણ હેમંતે 13 રન બનાવ્યાં હતા.આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો ન હતો. જ્યારે 5 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા. ભારતીય ટીમ માટે ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.જ્યારે હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને 1 સફળતા મળી હતી.
51 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગીલે ઓપનિંગમાં સરસાઈ મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા આ વખતે બેટિંગ કરવા આવ્યો ન હતો. ઈશાન અને ગિલ અણનમ રહ્યાં અને ટીમને 10 વિકેટે હરાવી હતી.ગિલ 27 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ઈશાન 23 રન બનાવ્યાં બાદ અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
ટ્રમ્પે જાપાન અને કોરિયા સહિત 14 દેશો પર ટેરિફ બોમ્બ ફેંક્યો, પરંતુ ભારત સાથેના સોદા માટે આ સારા સમાચાર આપ્યાં | 2025-07-08 08:33:42
અમેરિકાના ટેક્સાસમાં તબાહી...પૂરને કારણે 43 લોકોનાં મોત, કેમ્પિંગ કરવા ગયેલી 23 છોકરીઓ ગુમ | 2025-07-06 09:04:11
અમેરિકામાં અચાનક આવેલા પૂરથી તબાહી, 13 લોકોનાં મોત, 20 થી વધુ પર્યટક છોકરીઓ ગુમ | 2025-07-05 09:08:45
પાકિસ્તાનની જુઠ્ઠી વાતો... કહ્યું મસૂદ અઝહર ક્યાં છે તેની ખબર પડશે તો ધરપકડ કરીશું | 2025-07-05 08:51:09
ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા હત્યા કેસમાં બિહાર પોલીસે કરી કાર્યવાહી, એક આરોપી ઠાર | 2025-07-08 09:03:44
GST નું આ કૌભાંડ નીકળ્યું 5,000 કરોડ રૂપિયાનું, જાણો- કૌભાંડીઓ સામે ED એ શું કરી કાર્યવાહી ? | 2025-07-07 20:09:14
ભાષા વિવાદ પર રાજ ઠાકરેની ધમકી....જો કોઈ વધારે પડતું નાટક કરે છે, તો તેને કાનની નીચે બજાવો | 2025-07-06 09:21:30
બિહારના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને કરાઇ હત્યા, 6 વર્ષ પહેલા તેમના પુત્રની પણ હત્યા થઇ હતી | 2025-07-05 09:35:02