Fri,17 May 2024,1:43 pm
Print
header

ઇઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝા કેમ્પમાં 51 લોકોનાં મોતનો હમાસનો દાવો, ગાઝાએ બંધક બનાવેલાં અનેક લોકોનાં મોટા હુમલામાં થયા મોત

  • ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી બાદ ઘણા બંધકો ગુમ થયા છે
  • શરણાર્થી કેમ્પ પર થયેલા હુમલામાં 51 લોકો માર્યાં ગયા

ગાઝાઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હમાસની સૈન્ય શાખાએ ઈઝરાયેલના બંધકોને લઈને મોટો દાવો કર્યો છે. હમાસની મિલિટરી વિંગે જણાવ્યું કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં 60થી વધુ બંધકો ગુમ થયા છે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસની સૈન્ય શાખાએ જણાવ્યું કે ગુમ થયેલા 60 ઇઝરાયેલી બંધકોમાંથી 23 ના મૃતદેહો કાટમાળ નીચે ફસાયેલા છે. આ સ્થિતી માટે ઇઝરાયેલ જ જવાબદાર છે કારણ કે તેને જ આ મોટો હુમલો કર્યો હતો અને તેના નાગરિકોના જ મોત થયા છે.

ઇઝરાયેલી સેનાની કાર્યવાહી બાદ બંધકો ગુમ

અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તાએ જણાવ્યું કે ગાઝા વિરુદ્ધ ઇઝરાયેલી સૈન્યની કાર્યવાહીને કારણે અમે ક્યારેય તે મૃતદેહો સુધી પહોંચી શકીશું નહીં. ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે 60થી વધુ બંધકો ગુમ થયા છે. હમાસે 7 ઓક્ટોબરના હુમલા બાદ પકડાયેલા 239 લોકોમાંથી ચાર નાગરિકોને મુક્ત કર્યાં છે અનેકની હત્યા પણ કરી નાખવામાં આવી છે.

શરણાર્થી કેમ્પ પર હુમલામાં 51 લોકો માર્યાં ગયા

પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે ગાઝા શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના બોમ્બમારામાં 51 લોકો માર્યા ગયા છે. તેમાં મોટાભાગના બાળકો અને સ્ત્રીઓના મોત થયા છે.   ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ઈઝરાયેલની સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 9 હજારથી વધુ પેલેસ્ટાઈનના નાગરિકોનાં મોત થયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch