ધંધુકાઃ 2016 માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો પર ભાજપ સરકારના અત્યાચાર વખતે મંત્રી પરસોત્તમ રૂપાલા ચૂપ હતા, તેમને સમાજ માટે ત્યારે કંઇ કર્યું ન હતું અને પાટીદાર મહિલાઓ પર થયેલા લાઠીચાર્જ વખતે પણ તેઓ તમાશો જોઇને બેઠા હતા, હવે તેઓ સુરતમાં પાટીદારોની લાગણી લેવા બેશરમ રીતે પહોંચી ગયા હતા, પરંતુ હવે પાટીદાર સમાજ પણ તેમની સાથે નથી, સુરતમાં તેમને મીડિયા સાથે પણ સ્વભાવ મુજબ તોછડું વર્તન કર્યું હતુ. કદાચ તેઓ ખુદને હવે મોદી સમજવા લાગ્યા હશે.પરંતુ હવે પાટીદાર સમાજ પણ આ નેતાજીને સારી રીતે સમજી ગયો છે.
બીજી તરફ ધંધુકામાં ક્ષત્રિયોનું મહાસંમેલન મળ્યું હતુ, જેમાં ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવો તેમને ટિકિટ જ ન મળવી જોઇએ, અહીં મોટી સંખ્યામાં આવેલા ક્ષત્રિયોમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે. બેફામ વાણીવીલાસ કરનારા રૂપાલાની ટીકિટ કપાવવી જ જોઇએ.
ક્ષત્રિયોના મહાસંમેલનમાં શેરસિંહ રાણા, મહિપાલ મકરાણા,કરણીસેનાના પદ્મીનીબા વાળા સહિત અનેક આગેવાનો જોડાયા છે, અહીં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને રૂપાલા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ચામુંડા માતાજી મંદિરના મેદાનમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા હતા અને આગામી થોડા જ દિવસોમાં 5 લાખ ક્ષત્રિયોને ભેગા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અહીં ક્ષત્રિયોના 91 સંગઠનોએ જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું છે.
બીજી તરફ ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હવે રૂપાલાનો વિરોધ કરી રહ્યાં છે, પાટીદાર સમાજ પણ રૂપાલા સાથે નથી, ત્યારે જો ભાજપ હવે કોઇ યોગ્ય પગલું નહીં લે તો ક્ષત્રિયોનો રોષ વધશે તે નક્કિ છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56